Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sharad Purnima Na Upay: શરદ પૂર્ણિમાના દિવસે કરો આ 5 અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિના ખુલશે દ્વાર

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (00:20 IST)
Sharad Purnima Remedies 2024:  બુધવાર, 16 ઓક્ટોબર 2024ના રોજ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે દિલ્હીમાં સાંજે 05:13 કલાકે ચંદ્રોદય થશે.  પૂજાનો શુભ સમય બુધવાર, 16 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 05:56 થી 07:12 ની વચ્ચે રહેશે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે 5 ખાસ ઉપાય કરી લો  તો તમારું ભાગ્ય ચમકી જશે. ચાલો જાણીએ તે જ્યોતિષીય ઉપાયો શું છે.
 
1. ચંદ્ર દોષ કરે છે દૂર -  શરદ પૂર્ણિમાના દિવસે ધાબા કે ગેલેરીમાં ચાંદનીના અજવાળામાં ચાંદીના વાસણમાં દૂધ મુકવામાં આવે છે. પછી તે દૂધ ભગવાનને નૈવેધ ધરાવ્યા પછી પીવામાં આવે છે. આ દૂધનું સેવન કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.
 
2. ચંદ્રગ્રહણથી મુક્તિ મેળવવાનો ઉપાયઃ જો કુંડળીમાં ચંદ્રગ્રહણ હોય તો તેને દૂર કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. આ દિવસે ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ અથવા લોકોને સાર્વજનિક દૂધ વહેંચવું જોઈએ.   તમારા પર 6 નારિયેળ ઉતારીને તેને કોઈ વહેતી નદીમાં પ્રવાહીત કરવા જોઈએ. 
 
 3. લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પીપળના ઝાડ પર આવે છે. તેથી, તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીપળના ઝાડની સામે કંઈક મીઠાઈ અને પાણી અર્પણ કરવું જોઈએ.
 
4. દાંપત્ય જીવન માટેઃ એવું કહેવાય છે કે સફળ દામ્પત્ય જીવન માટે પતિ-પત્ની બંનેએ પૂર્ણિમાના દિવસે ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહે છે.
 
5. સુખ સમૃદ્ધિ હેતુ -  તમારે કોઈપણ વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં જઈને અત્તર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ અને ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી દેવી લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sharad Purnima Na Upay: શરદ પૂર્ણિમાના દિવસે કરો આ 5 અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિના ખુલશે દ્વાર

Karwa Chauth 2024: કરવા ચોથ પર સાસુને આપો આ વસ્તુઓ, મળશે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ

Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા ક્યારે ? જાણો આ દિવસે શુ કરવુ અને શુ નહી ?

Karwa Chauth 2024: કેમ કરવામાં આવે છે કરવા ચોથનુ વ્રત ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

પાપાંકુશા એકાદશી વ્રત કથા - આ વ્રત કરવાથી બધા પાપોથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments