Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Amavasya 2021: શનિ અમાવસ્યા ક્યારે છે ? જાણો આ દિવસે કયા ઉપાયો કરવાથી શનિદેવ થશે પ્રસન્ન

Webdunia
ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (09:09 IST)
હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસનુ વિશેષ મહત્વ છે. આ  વર્ષે આ તિથિ 4 ડિસેમ્બર 2021 ના રોજ આવી રહી છે.  શનિવારના દિવસે અમાવસ્યા હોવાથી તેને શનિ અમાવસ્યા કહેવાય છે.  જ્યોતિષમાં શનિ દોષ, સાઢેસાતી કે ઢૈય્યા પીડિત જાતકો માટે શનિ અમાવસ્યાનો દિવસ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે 
 
અમાવસ્યાનુ શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવ્યુ છે. શનિવારના દિવસે અમાસ પડવાને કારણે તેનુ મહત્વ વધી જાય છે. આ દિવસે લોકો નોકરી સંબધી પરેશાનીથી મુક્તિ મેળવવા માટે ઉપાય કરે છે. જાણો શનિદેવને પ્રસન્ન કરવા અને નોકરી સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે કયા ઉપાયો કરવામાં આવે છે. 
 
મહાશિવરાત્રિના દિવસે કુંભ રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ 5 રાશિઓને થશે મહાલાભ 
 
1. પીપળાના ઝાડની પૂજા - જ્યોતિષ મુજબ શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે પીપળાના ઝાડમાં બધા દેવતાઓનો વાસ હોય છે. શનિદેવના દુષ્પ્રભાવથી બચવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દિવો પ્રગટાવવો જોઈએ.  કહેવાય છે કે આવુ કરવાથી શનિદોષ ખતમ થાય છે. 
 
2. શમીના વૃક્ષની પૂજા - એવુ કહેવાય છે કે શનિદેવને શમીનુ વૃક્ષ પ્રિય છે. શનિ દોષથી છુટકારો મેળવવા માટે શમીના વૃક્ષની પૂજા કરવી જોઈએ. શનિવારના દિવસે સાંજે શમીના ઝાડની પાસે દીવો પ્રગટાવવાથી લાભ મળે છે. 
 
3. હનુમાનજીની પૂજા - એવુ કહેવાય છે કે શનિદેવને શમીનુ વૃક્ષ પ્રિય છે. શનિ દોષથી છુટકારો મેળવવા માટે શમીના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસે શનિ દોષથી છુટકારો મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએૢ 
 
4. ગાયની પૂજા - શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારના દિવસે કાળી ગાયની સેવા કરવી જોઈએ. ગાયને ચારો અને રોટલી ખવડાવો. એવુ કહેવાય છે કે આવુ કરવાથી શનિ પીડાથી છુટકારો મળે છે. 
 
ફાગણ અમાવસ્યા મુહૂર્ત 
ડિસેમ્બર 4, 2021 ના રોજ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

આગળનો લેખ
Show comments