Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangalwar Na Upay હનુમાનજી તમારા દરેક દુ:ખ કરશે દૂર, મંગળવારે કરો સિંદૂરનો આ સરળ ઉપાય

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2023 (08:58 IST)
11 એપ્રિલે વૈશાખ કૃષ્ણ પક્ષ પંચમીની ઉદયા તિથિ અને મંગળવાર છે. 11 એપ્રિલે સવારે 7.17 કલાકે પંચમી તિથિની પૂર્ણાહુતિ થઈ છે. હાલમાં ષષ્ઠી તિથિ ચાલી રહી છે. 11 એપ્રિલની સાંજે 5.53 મિનિટ સુધી વરિયાણ યોગ રહેશે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો, તો તેને વરિયાણ યોગમાં કરો, તમને ચોક્કસ સફળતા મળશે. જો કે આ યોગમાં કોઈ પણ રીતે પૈતૃક કાર્ય ન કરવું. આ સાથે 11 એપ્રિલે બપોરે 12.58 વાગ્યાથી શરૂ થઈને 12 એપ્રિલે રાત્રે 11.59 વાગ્યા સુધી તમામ કાર્યોમાં સફળતા અપાવનાર રવિ યોગ બનશે.
 
હિન્દુ ધર્મમાં મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ખૂબ જ લાભ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કયા વિશેષ ઉપાયો કરવાથી તમે તમારા કાર્યમાં સફળતા મેળવી શકો છો અને વ્યવસાયમાં ચાલી રહેલી મંદીને દૂર કરી શકો છો.
 
- જો તમે દર થોડા દિવસે આર્થિક સમસ્યાઓમાં ગુંચવાય જાવ છો  અને હવે આ પરિસ્થિતિમાંથી જલ્દીથી બહાર નીકળવા માંગો છો, તો આજે તમારે તમારી અસ્થિર આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે હનુમાન જીના આ મંત્રનો જાપ 21 વાર કરવો જોઈએ. મંત્ર છે- 'ઓમ હં હનુમતે નમઃ'. આમ કરવાથી પણ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ જશે
 
- જો તમને હંમેશ કોઈ ને કોઈ વાતનો ડર સતાવતો હોય તો આ દિવસે હનુમાનજીના ચિત્ર કે મૂર્તિની સામે આસન લગાવીને બેસો. હવે તમારી સામે લાલ રંગનું કપડું ફેલાવો અને તેના પર થોડી દાળ રાખો. આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ કર્યા પછી, તે કપડા પર રાખેલી દાળ મંદિરમાં અર્પણ કરો અને તે લાલ કપડું તમારી પાસે રાખો. આ ઉપાયો કરવાથી તમે કોઈ પણ વસ્તુથી ડરશો નહીં.
 
- જો તમને તમારું કોઈપણ કાર્ય કરવામાં કોઈ સમસ્યા આવી રહી છે અને તે પૂર્ણ નથી થઈ રહ્યું તો આ દિવસે મોલી એટલે કે કાલવ લઈને હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાં જઈને તે મોલીને હનુમાનજીના ચરણોમાં મૂકી દો. હવે ભગવાનના ચરણોમાં સિંદૂર લઈને કપાળ પર ટીક લગાવો. તે પછી, ત્યાં રાખવામાં આવેલી મોલીમાંથી એક લાંબો દોરો કાઢીને તમારા હાથના કાંડા પર બાંધો અને બાકીની મોલીને ત્યાં મંદિરમાં રાખો. આમ કરવાથી તમારા કામમાં આવતી સમસ્યા દૂર થઈ જશે.
 
- જો તમે તમારા પરિવારની ખુશીઓ જાળવી રાખવા માંગો છો, તો આ દિવસે સ્નાન વગેરે કર્યા પછી થોડા ચમેલીના ફૂલ એકત્રિત કરો. હવે તે ચમેલીના ફૂલની માળા બનાવો અને હનુમાનજીના મંદિરમાં જઈને તે માળા ભગવાનને અર્પણ કરો. તમારા પરિવારની ખુશી માટે પ્રાર્થના કરતી વખતે પણ ધૂપ પ્રગટાવો. આમ કરવાથી તમારા પરિવારની ખુશી હંમેશા જળવાઈ રહેશે.
 
- જો તમે તમારા પ્રેમી સાથે તમારા સંબંધને મજબૂત કરવા માંગો છો અથવા તમારા જીવનમાં પ્રેમનો પ્રવાહ જાળવી રાખવા માંગો છો, તો આ દિવસે તમારે મંગલ મંત્રનો 11 વાર જાપ કરવો જોઈએ. મંત્ર છે- 'ઓમ ક્રા ક્રી ક્રૌં સ: ભૌમાય નમઃ'. આમ કરવાથી લવમેટ સાથે તમારો સંબંધ મજબૂત થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments