Festival Posters

Ramayan- શું આપ જાણો છો રામાયણની આ રોચક વાતો ?

Webdunia
બુધવાર, 29 માર્ચ 2023 (17:03 IST)
શુક્લ પક્ષની નવમી તિથિને શ્રીરામ નવમીના પર્વના રૂપમાં ઉજવાય છે. વાલ્મીકી રામાયણ મુજબ  આ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રીરામના રૂપમાં ધરતી પર અવતાર લીધો હતા. આ વખતે શ્રીરામ નવમીનો તહેવાર 15 એપ્રિલના રોજ  શુક્રવારે છે.  શ્રીરામ નવમીના અવસર પર આજે અમે તમને એવી રોચક વાતો જણાવી રહ્યા છીએ,  જેને ખૂબ ઓછા લોકો જાણે છે. 
 
આ  રીતે બન્યો  રામસેતુ 
વાનરોને સમુદ્ર પર પુલ બનાવવામાં 5 દિવસ લાગ્યા હતા. પહેલા દિવસે  14 યોજન(1 યોજન એટલે કે 13 કિમી) બીજા દિવસે  20 યોજન , ત્રીજા દિવસે 21 યોજન ,ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ રીતે કુલ 100 યોજન લંબાઈનો પુલ સમુદ્ર પર બનાવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો. 
 
* રાજા દશરથ શ્રીરામને વનવાસ મોકલવા માંગતા નહોતા. તેમણે શ્રીરામને એવુ પણ કહ્યુ હતુ કે મને બંદી બનાવીને તમે પોતે રાજા બની જાવ. 
 
* શ્રીરામ ચરિત માનસમાં સીતાના સ્વયંવરનું  વર્ણન છે પણ વાલ્મીકીની રામાયણમાં ક્યાંય પણ સીતાના સ્વયંવરનું વર્ણન નહી મળે. 
 
* રાજ દશરથે  પુત્ર પ્રાપ્તિ માટે ઋષિ ઋષ્યશૃંથી પાસેથી  પુત્રેષ્ટિ યજ્ઞ કરવ્યો હતો.  આ ઋષિનો જન્મ હિરણીના ગર્ભથી થયો હતો. 
 
* વનવાસ સમયે રામે  શ્રાપિત રાક્ષસ કબંધનો વધ કર્યો હતો. તેણે જ રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવા માટે કહ્યું હતું. 
 
* વાલ્મીકી રામાયણ મુજબ રસ્તો ન આપતા લક્ષ્મણ નહી પણ શ્રીરામ સમુદ્ર પર ક્રોધિત થયા હતા. ત્યારે લક્ષ્મણે એમને સમજાવ્યો હતો. 
 
* રામ-રાવણના યુદ્ધના સમયે ઈંદ્રે એમના રથ શ્રીરામ માટે મોક્લ્યા હતા. એના પર જ બેસીને રામે રાવણનું વધ કર્યું હતું. 
 
* યુદ્ધના સમયે અગત્સ્ય ઋષિએ શ્રીરામને  આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવાનું કહ્યું એના જ પ્રભાવથી શ્રીરામે  રાવણનો વધ કર્યો. 
 
* રાવણે વિશ્વ વિજયના સમયે શૂર્પણખાના  પતિનો પણ વધ કર્યો હતો. કારણ કે  એ પણ રાવણના સર્વનાશ કરવા ઈચ્છતો હતો. 
 
* વાલ્મીકી રામાયણ મુજબ વનવાસ જતી વખતે શ્રીરામની ઉમર આશરે 28 વર્ષની હતી અને સીતાની 18 વર્ષ હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments