Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા પહેલા આ રીતે પ્રગટાવો દીવો... ખુલી જશે ઉન્નતિના દ્વાર...

Webdunia
શનિવાર, 6 મે 2017 (13:31 IST)
પૂજાના સમયે દીવો પ્રગટાવવો જરૂરી બતાવાયો છે. પંડિતનુ કહેવુ છે કે જો યોગ્ય રીતે દીવો પ્રગટાવવામાં આવે તો દેવ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં પણ દીવો પ્રગટાવવાનુ મહત્વ બતાવ્યુ છે.  તમે પણ જાણો એ વાતો જેને તમારે દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખવી પડશે. 
 
- દીવો ચોખ્ખો હોય અને ક્યાયથી પણ તૂટેલો ન હોય. કોઈપણ પૂજામાં તૂટેલો દીવો મુકવો વર્જિત માનવામાં આવ્યો છે. 
- દીવો એ રીતે પ્રગટાવો કે પૂજા વચ્ચે ઓલવાય નહી અને લાંબો સમય સુધી પ્રગટતો રહે. જો પૂજા વચ્ચે દીવો ઓલવાય જાય છે તો તેને અશુભ સમજવામાં આવે છે. 
- ફક્ત ઘી કે તેલનો જ દીવો પ્રગટાવો. કેટલાક પંડિત એ પણ બતાવે છે કે ઘી નો દીવો પ્રગટાવવવાના તરત પછી તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ. 
- શાસ્ત્રોમાં ઘી ના દીવાને સર્વશ્રેષ્ઠ બતાવ્યો છે. કારણ કે ઘી ને શુભ માનવામાં આવે છે. 
- પૂજા પછી પણ અનેક કલાકો સુધી દીવો પ્રગટતો રહે એ શુભ માનવામાં આવે છે.  તેથી દીવામાં સારા પ્રમાણમાં તેલ કે ઘી નાખો. 
 
કેમ મહત્વપૂર્ણ છે દીવો પ્રગટાવવો 
 
એવુ કહેવાય છે કે દીવો જ મનુષ્યને અંધકારના જંજાળમાંથી અજવાળાની તરફ લઈ જાય છે. શાસ્ત્રો મુજબ પૂજનમાં પંચામૃતનુ ખૂબ મહત્વ છે અને ઘી એ જ પંચામૃતમાંથી એક છે. તેથી ઘી નો દીપક પ્રગટાવવાને ઉત્તમ કહેવામાં આવ્યો છે.  ઘી વાળો દીવો ઓલવાયા પછી ચાર કલાકથી પણ  વધુ સમય સુધી સાત્વિક ઊર્જા બનાવી રાખે છે. જ્યોતિષ મુજબ દીવાને સકારાત્મકતાનુ પ્રતીક અને દરીદ્રતા દૂર કરનારો માનવામાં આવે છે.  

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments