Festival Posters

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Webdunia
ગુરુવાર, 20 માર્ચ 2025 (08:37 IST)
ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસને બૃહસ્પતિવાર પણ કહેવાય છે. ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુના ભક્ત વ્રત રાખે છે અને વ્રતથી સંકળાયેલા કેટલાક નિયમોનુ પાલન પણ કરે છે.
 
ગુરુવારના વ્રત વિશે એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત આ દિવસે સાચા મનથી વ્રત કરે છે તો તેને દરેક ક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ મળે છે, આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ગુરુવારનું વ્રત બધા ઉપવાસોમાં સૌથી કઠિન છે, કારણ કે આ વ્રત કથામાં જણાવેલ નિયમોનું ઉલ્લંઘન કરવા પર ગુરુ ભગવાન ક્રોધિત થાય છે અને સાધકને અનેક પ્રકારની સજાઓ ભોગવવી પડે છે.
 
વ્યક્તિએ મુશ્કેલીઓ અને દુ:ખનો સામનો કરવો પડે છે. ગુરુવારનું આ વ્રત ખાવાની આદતોથી લઈને જીવનશૈલી સુધીના ઘણા નિયમો સાથે જોડાયેલું છે. ગુરૂવાર વ્રતમાં ખાવા-પીવાથી સંકળાયેલી ઘણી વસ્તુઓથી પરેજ કરવુ પડે છે. આ દિવસે ખિચડી ખાવાની મનાહી હોય છે જાણો શું કારણ છે કે ગુરૂવારે ખિચડી કેમ ન ખાવી જોઈએ. 
 
ગુરૂવારના દિવસે બેસન અને ચણાની દાળથી બનેલી વસ્તુઓના સેવનના વિશે બૃહસ્પતિવાર વ્રત કથામાં જણાવ્યુ છે કે આ દિવસે વ્રત રાખનારા લોકોને ખિચડીનુ સેવન ન કરવુ જોઈએ. ખિચડીને સાત્વિક નથી ગણાય છે. કહેવાય છે કે ખીચડીમાં કાળી દાળનો ઉપયોગ કરવામાં આવે છે, જેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવતું નથી. ખીચડીનું સેવન કરવાથી ગુરુ ગ્રહ અને જીવનમાં નબળાઈ આવે છે
 
ગરીબી અને દુઃખ વધવા લાગે છે. ખર્ચ વધવા લાગે છે અને આવક ઓછી થવા લાગે છે, આવી સ્થિતિમાં પરિવાર અને ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે આ દિવસે ખીચડીનું સેવન કરવાનું ટાળો.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

વધુ જુઓ..

નવીનતમ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

આગળનો લેખ
Show comments