Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gupt Navratri - ગુપ્ત નવરાત્રીનું મહત્વ

Webdunia
મંગળવાર, 9 જુલાઈ 2024 (09:15 IST)
Gupt Navratri હિન્દી પંચાગ અનુસાર, મા દુર્ગાની નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. માઘ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. બીજી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે. અને બાકીની બે નવરાત્રિ અષાઢ અને અશ્વિન મહિનામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ભક્તો તંત્ર-મંત્ર, તંત્ર વિદ્યા વગેરે શીખનારા ભક્તો માતાને કઠિન ભક્તિ કરીને પ્રસન્ન કરે છે.  આવો જાણીએ આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું.
 
મા દુર્ગાના નવ સ્વરૂપો
મા દુર્ગાના નવ સ્વરૂપો છે, જેમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી માતા છે. નવરાત્રિ દરમિયાન દેવીના આ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યા દેવીઓ  તારા, ત્રિપુરા સુંદરી, ભુનેશ્વરી, છિન્નમસ્તા, કાલી, ત્રિપુરા ભૈરવી, ધૂમાવતી, બગલામુખી છે. આ દેવીઓની ગુપ્ત નવરાત્રિમાં ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે.
 
ગુપ્ત નવરાત્રીનું મહત્વ
ગુપ્ત નવરાત્રિ તંત્ર સાધના, મેલીવિદ્યા, વશીકરણ વગેરે બાબતો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસો સુધી, મા દુર્ગાની સખત ભક્તિ અને તપસ્યા કરવામાં આવે છે. ખાસ કરીને નિશા પૂજાની રાત્રે તંત્ર સિદ્ધિ થાય છે. ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને માતા દુર્લભ અને અનુપમ શક્તિનું વરદાન આપે છે.  સાથે જ બધી ઇચ્છાઓને સિદ્ધ કરે છે.
 
ગુપ્ત નવરાત્રિ દરમિયાન શું કરવું અને શું નહીં
 
-  એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી બ્રહ્મચર્યના નિયમનું પાલન કરવું જોઈએ.
 
-  આ દિવસોમાં તામસિક ભોજન લેવાનુ ટાળો.
 
- જ્યોતિષ અનુસાર કુશની સાદડી પર સૂવું.
 
-  ગુપ્ત નવરાત્રિ દરમિયાન પીળા કે લાલ વસ્ત્રો પહેરો.
 
-  નિર્જળા કે ફળાહાર રહીને  ઉપવાસ રાખો.
 
-  સાચા હૃદયથી માતાની પૂજા કરો.
 
-  આ દિવસોમાં લસણ-ડુંગળીનું સેવન ટાળો.
 
- માતા-પિતાની સેવા અને આદર કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Diwali 2024 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

Diwali Muhurat Trading - મુહૂર્ત ટ્રેડિંગમાં શું થાય છે? જાણો ક્યારે છે મુહૂર્ત ટ્રેડિંગ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

દિવાળી નિબંધ ગુજરાતી - Diwali essay in Gujarati

આગળનો લેખ
Show comments