Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર કરી લો આ ઉપાય, બેરોજગારી હોય કે વેપારની સમસ્યા શિવજી અપવશે સફળતા

Webdunia
રવિવાર, 21 ઑગસ્ટ 2022 (23:29 IST)
સોમવારે શિવ પૂજાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો કોઈ બેરોજગારી કે વેપારમાં ખોટ જેવી સમસ્યાથી પરેશાન છે તો સોમવારના દિવસે કોઈપણ શિવાલયમાં જઈને નાનકડો ઉપાય કરી લો. થોડાક જ દિવસમાં શિવજીની કૃપાથી બધી સમસ્યાઓ દૂર થશે અને દરેક કાર્યમાં સફળતા મળવા માંડશે. 
 
આવો જાણીએ આ ઉપાય  
 
શિવ મહાપુરાણ અને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  ભગવાન શિવને સૌથી વધુ ફક્ત જળ જ પ્રિય છે.  તેથી આ દિવસે શિવજીનો જળથી એક ઉપાય કરવો જોઈએ. આ માટે સોમવારના દિવસે સાચી શ્રદ્ધા અને સમર્પણ સાથે પોતાની ઈચ્છા પૂર્તિ માટે શિવ મંદિરમાં શિવલિંગને સારી રીતે શુદ્ધ જળથી ધોઈને સાફ કરી લો. 
 
 હવે મહામૃત્યુંજય મંત્ર - ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મૃક્ષીય મામતાત.. આ મંત્ર નો 108 વાર જાપ કરતા શિવલિંગનુ ગંગાજળ મિશ્રિત જળથી સતત ધાર કરતા અભિષેક કરો.  ધ્યાન રાખો કે આ પ્રયોગ કરતી વખતે તમને કોઈ રોકે ટોકે નહી અને તમે પણ કોઈની સાથે વાત ન કરશો અને કોઈ કંઈ પુછે તો જવાબ ન આપશો. ફક્ત તમારુ કામ કરતા રહો. 
 
જ્યારે જળાભિષેક પૂરો થઈ જાય તો ફરીથી ૐ નમ શિવાયનો 21 વાર જાપ કરતા ગાયના દૂધથી પણ અભિષેક કરો. અભિષેક પૂરો કર્યા પછી  એક ગરીબ કન્યા કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments