જો કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર કે શનિની અશુભ સ્થિતિના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો 21 વાર વિશેષ મંત્ર બોલીને મોર પંખ પર પાણીના છાંટા નાખો. ત્યારબાદ મોર પંખને ઘરમાં કોઈ યોગ્ય સ્થાન પર સ્થાપિત કરો. બધા નવ ગ્રહ માટે જુદા જુદા મંત્ર બતાવ્યા છે. અહી જાણો નવ ગ્રહના દોષ દૂર કરવા માટે મંત્ર અને ઉપાય..
સૂર્ય માટે ઉપાય..
રવિવારે નવ મોર પંખ લઈને આવો અને પંખ નીચે મરૂણ રંગનો દોરો બાંધી લો. ત્યારબાદ એક થાળીમાં પંખ સાથે નવ સોપારીઓ મુકો. ગંગાજળ છાટતા 21 વાર આ મંત્રનો જાપ કરો.
મંત્ર - ૐ સૂર્યાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા:
ત્યારબાદ બે નારિયળ સૂર્ય ભગવાનને અર્પિત કરો.
આગળ જાણો મોર પંખના કેટલાક અન્ય ઉપાય જે કે ઘરમાં કરી શકાય છે.....
ચંદ્ર માટે ઉપાય
સોમવારે આઠ મોર પંખ લઈને આવો. પંખની નીચે સફેદ રંગનો દોરો બાંધી લો. ત્યારબાદ એક થાળીમાં પાંખની સાથે આઠ સોપારી પણ મુકો. ગંગાજળ છાંટતી વખતે 21 વાર આ મંત્રનો જાપ કરો.
મંત્ર - ૐ સોમાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા:
પાનના પાંચ પત્તા ચંદ્રમાંને અર્પિત કરો. બરફીનો પ્રસાદ ચઢાવો.