Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અમાસના દિવસે કરશો આ 5 ઉપાય તો દૂર થશે તમારી દરેક સમસ્યા

આજે અમાસ
Webdunia
શુક્રવાર, 16 ઑક્ટોબર 2020 (06:58 IST)
1. હિન્દુ ધર્મમાં અમાસને પિતરોની તિથિ માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતરોને પ્રસન્ન કરવા માટે ગાયના છાણથી બનેલ છાણા પર શુદ્ધ ઘી અને ગોળ મિક્સ કરીને ધૂપ આપવી જોઈએ. જો ઘી અને ગોળ ન હોય તો ખીરથી પણ ધૂપ આપી શકો છો. 
 
જો આ પણ શક્ય ન હોય તો ઘરમાં જે પણ તાજુ ભોજન બન્યુ હોય તેનાથી પણ ધૂપ આપવાથી પિત્તર પ્રસન્ન થાય છે. ધૂપ આપ્યા પછી હથેળીમાં પાણી લો અને અંગૂઠાના માધ્યમથી તેને ઘરતી પર છોડી દો. આવુ કરવાથી પિતરોની તૃપ્તિનો અનુભવ થાય છે તેઓ આશીર્વાદ આપે છે જેનાથી આપણા જીવનની પરેશાનીઓનો અંત આવે છે.
 
2. અમાસ પર કીડીઓને ખાંડ ભેળવેલ લોટ ખવડાવો આવુ કરવાથી તમારા પાપ કર્મોનુ પ્રાયશ્ચિત થશે અને સારા કામનુ ફળ મળશે. તમારી મનોકામના પૂર્ણ થશે.
 
3. અમાસના સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. બત્તીમાં રૂના સ્થાન પર લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ દીવામાં થોડી કેસર પણ નાખો. આ મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય છે.
 
4. અમાસના દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શક્ય હોય તો હનુમાનજીને ચમેલીનુ તેલ ચઢાવી શકો છો આ ઉપાય કરવાથી સાધકની બધી મનોકામના પૂરી થઈ શકે છે.
5. અમાસની રાત્રે લગભગ 10 વાગ્યે ન્હાઈને પીળા રંગના કપડા પહેરી લો. તેના ઉત્તર દિશા તરફ મોઢુ કરીને ઉન કે કુશના આસન પર બેસી જાવ. હવે સામે પાટલા પર એક થાળીમાં કેસરથી સ્વસ્તિક કે ૐ બનાવીને તેના પર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. ત્યારબાદ તેની સામે એક દિવ્ય શંખ થાળીમાં સ્થાપિત કરો. 
 
હવે થોડા ચોખાને કેસરમાં રંગીને દિવ્ય શંખમાં નાખો. ઘી નો દીવો પ્રગટાવીને નીચે લખેલ મંત્રનુ કમળકાકડીની માળાથી અગિયાર માળા જાપ કરો.
 
मंत्र- सिद्धि बुद्धि प्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनी।
मंत्र पुते सदा देवी महालक्ष्मी नमोस्तुते।।
 
 
મંત્ર જાપ પછી આ બધી પૂજન સામગ્રી કોઈ નદી કે તળાવમાં વિસર્જીત કરી દો. આ પ્રયોગથી ધન લાભની શક્યતા વધી જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments