Webdunia - Bharat's app for daily news and videos

Install App

77th Independence Day - આઝાદી પછી દેશ કેવા નેતાની કલ્પના કરી રહ્યુ છે

Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2023 (18:25 IST)
Future leaders
Future leaders that Indians envision - એક સારા નેતામાં તે બધા ગુણો હોવા જોઈએ જેના એક અવાજ પર તે દેશના લોકો ઉભા થાય અને તેના શબ્દોને અનુસરે.
 
ભારતીય ઈતિહાસમાં આવા ઘણા સારા નેતાઓ થયા છે. જેમના નેતૃત્વમાં આપણને આઝાદી મળી અને આજે પણ એવા ઘણા નેતાઓ છે જેઓ દેશના હિતમાં કામ કરે છે. આ નિબંધમાં આપણે સારા નેતાના વિચારો, ગુણો અને વ્યક્તિત્વ વગેરે વિશે ચર્ચા કરીશું. અમે આશા રાખીએ છીએ કે આ નિબંધ ચોક્કસપણે નેતા વિશેના તમારા વિચારોને પ્રભાવિત કરશે.
 
એક સારા નેતામાં કયા ગુણો હોવા જોઈએ?
 
આખા વિશ્વમાં હંમેશા સારા, પ્રામાણિક અને અસરકારક નેતાઓની કમી રહી છે. દરેક દેશને માર્ગદર્શન આપવા માટે એક સારા અને યોગ્ય નેતાની જરૂર હોય છે. ભારત હોય કે અન્ય દેશ, જ્યા લોકોને જેની અંદર એક સારા નેતાના કેટલાક ગુણો દેખાય કે દરેક વ્યક્તિ તેને ફોલો કરવા માંડે છે. કોઈપણ નેતા આપણા જેટલો જ સામાન્ય હોય છે, પરંતુ તેની પાસે કેટલાક ગુણ હોય છે જે તેને આપણાથી અલગ બનાવે છે. કોઈપણ નેતા ફક્ત આપણું નેતૃત્વ કરી  છે આપણને  માર્ગદર્શન આપે છે.
 
એક સારો નેતા સત્યવાદી, સ્વપ્નદ્રષ્ટા, સમયસર અને પારદર્શક હોય છે. તેમનામાં એક ધ્યેય, ત્યાગની ભાવના, નેતૃત્વ વગેરે અનેક ગુણો તેમનામાં સહજ હોય છે.
 
એક સારા નેતાનો મતલબ શુ છે ?
 કોઈપણ નેતા આપણી વચ્ચેથી જ આવે છે, પરંતુ તેની અંદર કેટલાક અલગ ગુણો હોય છે, જે તેને આપણાથી અલગ બનાવે છે. સારા નેતાનો અર્થ છે - "એક સારું નેતૃત્વ". નેતાનું પોતાનું એક લક્ષ્ય હોવું જોઈએ અને તે ધ્યેય દેશ, ઉદ્યોગ કે સમાજના કલ્યાણ માટે હોવું જોઈએ. આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક નેતા હોય છે, પરંતુ જે પોતાની અંદર આ ગુણને ઓળખે છે અને પોતાના એક  લક્ષ્ય હેઠળ આગળ વધે છે, તે સફળ બને છે. એક નેતાની પોતાની અલગ વિચારસરણી હોય છે. તેની પાસે પોતાની વાણીથી લોકોને આકર્ષવાનો ગુણ હોય છે.
 
કોઈપણ વ્યક્તિ સારા ગુણોને અનુસરીને અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો કરીને સારો નેતા બની શકે છે. એવું નથી કે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ નેતા હોય છે. તે અમુક વિશેષ ગુણો, તેની મહેનત અને તેની સત્યતાના આધારે જ સારો નેતા બને છે.
 
કોઈપણ દેશના ઉત્થાનમાં, તેની પ્રગતિ એક નેતાના વ્યક્તિત્વના ગુણો, નેતૃત્વ અને લક્ષ્ય નિર્ધારણથી આગળ વધે છે. નેતા પોતાના લક્ષ્યનુ નિર્ધારણ પોતાના સાહસ, કર્મઠતા, લગન અને પોતાની બુદ્ધિ અને વિવેકના ઉપયોગથી કરે છે. કોઈ પણ ઔદ્યોગિક સંગઠન હોય કે દેશના હિતમાં કરવામાં આવેલ કામ હોય, તે સારા નેતા વિના શક્ય નથી. એક સારો નેતા સમાજમાં ફેલાયેલી ખરાબીઓ અને દુષણોને દૂર કરવાનો પૂરો પ્રયાસ કરે છે. 
 
એક સારા નેતાની વિશેષતાઓ...જેવી કે 
 
ઈમાનદારી - એક સારો નેતા હંમેશા ઈમાનદાર હોવો જોઈએ, જેણે પોતાની ફરજો ઈમાનદારીથી નિભાવવી જોઈએ.
સત્યતા - કોઈપણ નેતામાં સત્ય હોવું જરૂરી છે જેના શબ્દો પર લોકો વિશ્વાસ કરી શકે.
શુદ્ધતા - એક સારો નેતા શુદ્ધ હોવો જોઈએ જેના પર કોઈ દોષ ન લગાવી શકે.
શિસ્તબદ્ધ - આપણા નેતા હંમેશા શિસ્તમાં રહેવું જોઈએ જેથી તેના અનુયાયીઓ તેની શિસ્તનું પાલન કરે.
નિઃસ્વાર્થતા - નેતામાં નિઃસ્વાર્થતા હોવી જોઈએ, જેથી લોકો કોઈપણ ભેદભાવ વિના અન્યની સેવા કરી શકે.
વફાદારી - એક સારા નેતામાં વફાદારીની ભાવના હોવી જોઈએ.
સમાનતાની ભાવના - નેતાના મનમાં દરેક માટે સામાન્ય સમજ હોવી જોઈએ.
નિષ્પક્ષતા - તેનો નિર્ણય દરેક માટે ન્યાયી હોવો જોઈએ.
વિશ્વસનીયતા - એક સારા નેતામા દરેક વ્યક્તિ માટે વિશ્વાસ હોવો જોઈએ.
આદર - એક સારો નેતા દરેકનો આદર કરે છે પછી ભલે તે શ્રીમંત હોય કે ગરીબ. તેણે દરેક સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments