Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
વૃષભ-સ્‍વાસ્‍થ્ય
વૃષભ રાશીની વ્‍યક્તિને પેટની વધારે તકલીફ રહે છે. ગેસ, સંવિધાત, મધુપ્રમેહ, આંખની બીમારી, ગળાનો રોગ વગેરે બીમારીઓ થઇ શકે છે. વૃષભ રાશીની વ્‍યક્તિનું મૃત્યું હૃદયરોગથી વધારે પ્રમાણે થાય છે. સામાન્‍ય રીતે તેઓ સ્‍વસ્‍થ રહે છે પરંતુ ગોચરમાં અશુભ ગ્રહ આવે કે શુક્ર નબળો થાય ત્‍યારે અહીં દર્શાવેલા રોગ થઇ શકે છે. વીર્યનો વિકાર, મૂત્ર રોગ, આંખનો રોગ, મુખનો રોગ, પાંડુ, ગુપ્ત રોગ, વીર્યની ઉણપ, સંભોગમાં અક્ષમતા, સ્‍નાયુની નબળાઇ, વાયુનો વિકાર, સ્‍વપ્ન દોષ, શીઘ્રપતન, ધાતુનો ક્ષય, કફ અને કબજીયાત વગેરે થાય છે. આ માટે છાસ, ફળ, લીંબુ, સૂકા મેવા, પાલક, ટમેટા વગેરેથી લાભ થાય છે. તેઓ શરીરથી નબળા હોય તો તેમણે સંતુલીત આહાર લેવો જોઇએ અને ચરબી વાળો ખોરાક ખાવો જોઇએ.

રાશી ફલાદેશ