Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
તુલા-વ્‍યક્તિત્‍વ
"તુલા રાશિની દરેક વ્‍યક્તિનો સ્‍વભાવ ત્રાજવા સમાન સંતુલીત નથી. તેઓ યોગ્ય સમય અને સ્‍થાનની પ્રતિક્ષા કરે છે. પરંતુ સર્વનો સ્‍વભાવ આવો નથી. શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવતી આ રાશિ સૌંદર્ય, વૈભવ, પ્રેમ, નિરાશા અને પશુતત્વના હોય છે. તેનાથી તેમના જીવનમાં અચાનક પરિવર્તન આવે છે. તેમની જીવન નૌકા ઉપર નીચે રહ્યાં કરે છે. આ રાશિમાં શનિ ને ઉચ્ચનો તથા સૂર્યને નીચનો માનવામાં આવે છે. શનિના રહેવાથી અધિકાર મળે છે. સૂર્યના રહેવાથી કુટુંબના ઝગડા રહે છે. શહેરમાં ભાગ્યોદય થાય છે પરંતુ શહેરની વચ્‍ચે રહેવું જોઇએ નહીં. તેઓમાં માનવતાવાદી, સંસ્‍કૃતિ પ્રત્‍યે લગાવ તથા માનવીય નબળાઇ હોય છે. તેઓ જરૂરતથી વધારે સરળ અને કઠોર પણ રહે છે. તેઓ બીજાની સમસ્‍યાનો યોગ્‍ય નિકાલ લાવે છે પરંતુ પોતાની સમસ્‍યાનું સમાધાન કરવામાં અસફળ રહે છે. તેઓ કાર્યકુશળ હોય છે વ્‍યવહારૂ નહીં. સિદ્ધાંતો માટે ઇચ્‍છાનું બલીદાન આપે છે. તેમને આત્‍મ પ્રશંસા ગમે છે. તેના પુરૂષોને એ ભય સતાવે છે કે તેઓ માં પુરૂષત્‍વની કમી છે. અને સ્‍ત્રીઓમાં અનાકર્ષણનો અભાવની લાગણી ચિંતા ઉપજાવે છે. તુલા રાશિની વ્યક્તિને પોતાની માનસિક શક્તિઓ પર દ્રઢ વિશ્વાસ હોય છે. તેઓ ઇર્ષાની ચિંતા કરતા નથી. તેઓ સંગીત પ્રેમી હોય છે. પ્રેમ તેમના જીવનનું આવશ્યક અંગ છે. તેઓ એક સાથે પ્રેમ અને નફરત કરી શકે છે. તેમનું જીવન વિરોધાભાસી હોય છે. મુશ્કેલીના સમયમાં પણ ન્‍યાયથી કામ કરે છે. તેમને શત્રુઓનો ભય લાગતો નથી. તેઓ પોતાના કાર્યમાં કુશળ હોય છે. તેઓ એવું કામ કરીને જાય છે કે, મૃત્યું બાદ પણ તેમને યાદ કરવામાં આવે છે."

રાશી ફલાદેશ