Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GSEB-રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષાના પેપરોના મુલ્યાંકન અંગે એક મોટો નિર્ણય લીધો

GSEB-રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષાના પેપરોના મુલ્યાંકન અંગે એક મોટો નિર્ણય લીધો
, સોમવાર, 30 માર્ચ 2020 (16:30 IST)
રાજ્યમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોર્ડની પરીક્ષાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. સરકારે લૉકડાઉનના પગલે આ મોટું પગલું ભર્યું છે. આ સાથે જ સરકારે મુલ્યાંકન કેંદ્રો બંધ રાખી અને કેંદ્રો પર આગ, પાણી, ઉધઈ વગેરેથી કોઇ નુકશાન ન થાય તેવુ ધ્યાન રાખવુ જરુરી પોલીસ પ્રોટેકશન પણ રાખવા આદેશ આપ્યો છે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ ડી.એસ.પટેલે એક પરીપત્ર જાહેર કરી અને મુલ્યાંકન કેન્દ્રના નિયામકને આ નિર્ણય અંગેની જાણકારી આપી છે. અગાઉ 21-3-2020થી 31-3-2020 સુધી બોર્ડના પેપરની મુલ્યાંકનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, હવે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી સ્થગિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વાઇરસ : 'લોકો પહેલાં અમને 'ચિંકી' અને 'ચાઇનીઝ' કહેતાં, હવે કોરોના કહે છે'