Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોરોના અપડેટ: આજે 770 લોકોએ કોરોનાને આપી માત, 6 લોકોએ ગુમાવ્યા જીવ

ગુજરાત કોરોના અપડેટ: આજે 770 લોકોએ કોરોનાને આપી માત, 6 લોકોએ ગુમાવ્યા જીવ
, ગુરુવાર, 17 જૂન 2021 (20:40 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
webdunia
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 293 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 770 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,03,892 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.84 ટકાએ પહોંચ્યો હતો. 
 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 7,749 એક્ટિવ દર્દી છે, જે પૈકી 203 લોકો વેન્ટિલેટર પર છે અને 7,546 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,03,892 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 10,018 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,52,543 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’