Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 352 નવા કેસ, માત્ર 4 લોકોના મોત

Gujarat Corona Update
, મંગળવાર, 15 જૂન 2021 (20:48 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 400 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 352 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1,006 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,02,187 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.70 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 8,884 એક્ટિવ દર્દી છે, જે પૈકી 219 લોકો વેન્ટિલેટર પર છે અને 8,665 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,02,187 લોકો ડિસ્ચાર્જ થયા છે. 10,007 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 1,  અને જુનાગઢમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 4 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,63,630 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગર: તળાવમાં ડૂબી જતાં 2 ભાઇઓ સહિત ચાર બાળકોના મોત