Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતે કોરોના પર મેળવ્યો કંટ્રોલ, આજે માત્ર 644 નવા કેસ, આજે 2 લાખથી વધુ લોકો કરાયું રસીકરણ

ગુજરાતે કોરોના પર મેળવ્યો કંટ્રોલ, આજે માત્ર 644 નવા કેસ, આજે 2 લાખથી વધુ લોકો કરાયું રસીકરણ
, બુધવાર, 9 જૂન 2021 (20:37 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 644 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1,675 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,94,703 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.11 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 13,683 એક્ટિવ દર્દી છે, જે પૈકી 346 લોકો વેન્ટિલેટર પર છે અને 13,337 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,94,703 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,965 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
 
આ ઉપરાંત સુરતમાં 1, વડોદરામાં 1, જૂનાગઢમાં 1, મહિસાગરમાં 1, અમરેલીમાં 1, અને જામનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 10 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,66,222 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Solar Eclipse 2021: આવતીકાલે છે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ , જાણો તેની સાથે જોડાયેલ 10 વાતો