Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Gujarat Update - રાજ્યમાં કોરોનાનો કકળાટ યથાવત, સતત ત્રીજા દિવસે 14 હજારથી વધુ કેસ, 158ના મોત

Corona Gujarat Update - રાજ્યમાં કોરોનાનો કકળાટ યથાવત, સતત ત્રીજા દિવસે 14 હજારથી વધુ કેસ, 158ના મોત
, સોમવાર, 26 એપ્રિલ 2021 (20:41 IST)
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 14,340 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 7,727 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,82,426 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 74.93 ટકાએ પહોંચ્યો છે. 
webdunia
 
અત્યાર સુધીમાં કુલ 94,35,424 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 20,19,205 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,14,54,629 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 64,571 લોકોને પ્રથમ ડોઝ અને 83,135 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 14,340 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 7,727 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 74.93 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,82,426 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,21,461 એક્ટિવ કેસ છે. જ્યારે 412 લોકો વેન્ટિલેટર પર છે. 1,21,049 લોકો સ્ટેબલ છે. 3,82,426 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 6,486 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 158 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
અમદાવાદ કોર્પોરેશન 26, સુરત કોર્પોરેશન 23, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર  કોર્પોરેશન 2, જુનાગઢ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, સુરત 2, મહેસાણા 4, બનાસકાંઠા 4, જામનગર 7, દાહોદ 1, કચ્છ 9, વડોદરા 6, પંચમહાલ 1, પાટણ 4, ગાંધીનગર 1, ભાવનગર 2, જુનાગઢ 2, અમરેલી 2, વલસાડ 2, સુરેન્દ્રનગર 5, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહિસાગર 2, મોરબી 3, રાજકોટ 4, અરવલ્લી 2, અને દેવભૂમિ દ્વારકા 1, બોટાદ 1, ખેડા 1, ભરૂચ 2, છોટા ઉદેપુર 1, આણંદ 1  એમ કુલ 158 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીરમ અને ભારત બાયોટેકને કેન્દ્રએ કહ્યુ - કોરોના વૈક્સીનની કિમંત ઓછી કરો