Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21 જૂનની રાત સૌથી નાની કેમ હોય છે ? જાણો કારણ અને રોચક માહિતી

21 june
, શુક્રવાર, 20 જૂન 2025 (15:45 IST)
21 june
Longest Day and Shortest Night in India 2025: 21 જૂનના રોજ રાત સૌથી નાની હોવાને કારણે પૃથ્વીની પોતાની ધુરી પર ઝુકાવ અને સૂર્યના ચારે બાજુ તેની પરિક્રમા છે. તેને ગ્રીષ્મ સંક્રાંતિ કહે છે. અહી આ લેખના સંબંધમાં વિસ્તૃત કારણ આપવામાં આવી રહ્યા છે.  
 
1. પૃથ્ગ્વીનુ અક્ષીય નમવુ (Axial Tilt):આપણી પૃથ્વી ધરતી પર સીધી નથી ફરતી પણ પોતાની કક્ષાની તટ થી લગભગ 23.5 ડિગ્રી નમેલી છે. આ ઝુકાવ જ પૃથ્વી પર ઋતુઓ બદલવાનુ મુખ્ય કારણ છે.  
 
2. સૂર્યની તરફ વધુ નમતી - જ્યારે પૃથ્વી સૂર્યની ચારે બાજુ પોતાની વાર્ષિક યાત્રા કરે છે તો 21 જૂનની આસપાસ ઉત્તરી ગોળાકર (Northern Hemisphere) સૂર્યની તરફ સૌથી વધુ નમેલો હોય છે. આ સમય સૂર્યની કિરણો સીધી કર્ક રેખા  (Tropic of Cancer) પર પડે છે. જે ભૂમઘ્ય રેખાના 23.5 ડિગ્રી ઉત્તરમાં આવેલ છે અને ભારતના મઘ્યમાંથી પણ પસાર થાય છે.  આ ઝુકાવને કારણે આખુ વર્ષ સૂર્યની કિરણ પૃથ્વીના જુદા જુદા ભાગ પર જુદા કોણથી પડે છે.   
 
 
3. સૂર્યની સીધી કિરણ અને લાંબો રસ્તો 
 
- ઉત્તરી ગોળાર્ઘમાં સૂર્યને કિરણો સીધી અને વધુ કેન્દ્રીત હોય છે. 
 - સૂર્ય આકાશમાં તેના ઉચ્ચતમ બિંદુએ હોય છે, અને તે દિવસ દરમિયાન આકાશમાં એક લાંબી ચાપ બનાવે છે.
 
- આનો અર્થ એ છે કે સૂર્ય લાંબા સમય સુધી ક્ષિતિજ ઉપર રહે છે, જેના કારણે દિવસ સૌથી લાંબો બને છે.
 
- ભારત જેવા ઉત્તર ગોળાર્ધના દેશોમાં, 21 જૂને દિવસ સૌથી લાંબો હોય છે (લગભગ 13.5 થી 14 કલાક).
 
4. પરિણામો: ટૂંકી રાત: દિવસ સૌથી લાંબો હોવાથી, કુદરતી રીતે, રાત્રિનો સમય સૌથી ટૂંકો બને છે. આ ઘટના ઉત્તર ગોળાર્ધમાં તમામ સ્થળોએ જોવા મળે છે, જો કે, તમે વિષુવવૃત્તથી જેટલા ઉત્તર તરફ જાઓ છો, તેટલો લાંબો દિવસ અને રાત ટૂંકી થાય છે. આર્કટિક સર્કલની ઉપરના કેટલાક સ્થળોએ, સૂર્ય 24 કલાક સુધી દેખાય છે, જેને 'મધ્યરાત્રિનો સૂર્ય' કહેવામાં આવે છે. તેનાથી વિપરીત, તે જ સમયે એટલે કે 21 જૂને, દક્ષિણ ગોળાર્ધમાં શિયાળુ અયનકાળ થાય છે, જ્યાં દિવસ સૌથી ટૂંકો અને રાત સૌથી લાંબી હોય છે, કારણ કે તે ભાગ સૂર્યથી દૂર નમેલો હોય છે.
 
અસ્વીકરણ: વેબદુનિયામાં દવા, આરોગ્ય ટિપ્સ, યોગ, ધર્મ, જ્યોતિષ, ઇતિહાસ, પૌરાણિક કથા વગેરે વિષયો પર પ્રકાશિત/પ્રસારિત થતા વિડિઓઝ, લેખો અને સમાચાર ફક્ત તમારી માહિતી માટે છે, જે વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે. વેબદુનિયા આની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આરોગ્ય અથવા જ્યોતિષ સંબંધિત કોઈપણ પ્રયોગ પહેલાં, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો. આ સામગ્રી અહીં જાહેર હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો મુકાબલો વધુ તીવ્ર બન્યો છે... વિદેશીઓ હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગે પોતપોતાના દેશોમાં પાછા ફરી રહ્યા છે