Publish Date: Mon, 29 Jul 2019 (17:46 IST)
Updated Date: Mon, 29 Jul 2019 (17:51 IST)
SBI એ સોમવારે કહ્યું કે બેંકને નાના સમૌઅની 179 દિવસની સાવધિ જમા પર વ્યાજ દરમાં 0.5 થી 0.75 ટકાનુ6 કપાત કરી છે. બેંકએ રિટેલ સેગમેંતમાં લાંબી અવધિ માટે નિવેશ કરવા પર 0.20 ટકા એટલે કે 20 બેસિસ અંકની કપાત કરી છે. તેમજ બલ્ક સેગમેંટમાં 35 બેસિસ આંક એટલે 0.35 ટકાની કપાત કરી છે. એસબીઆઈએ બે કરોડ રૂપિયા અને તેનાથી ઉપરની થોક જમા પર પણ વ્યાજ દરમાં કપાત કરી છે.
ભારતીય સ્ટેટ બેંકએ તેમની પાસે રોકડ ધન બહુતાયતમાં થતા અને વ્યાજ દરમાં ગિરાવટના પરિદ્રશ્યનો હવાલો આપતા વિભિન્ન પરિપકવયા અવધિની જમા પર વ્યાજ
દરમાં કપાત કરી છે. બેંકએ કહ્યું કે નવી વ્યાજ દર એક ઓગસ્ટથી લાગૂ થશે. આવો જાણીએ છે ફિક્સ્ડ ડિપોજિટ પર એસબીઆઈની નવી વ્યાજ દર કેટલી છે.
એક ઓગ્સ્ટથી સાત દિવસથી 45 દિવસની એફડી પર એસબીઆઈના ગ્રાહ્કોને પાંચ ટકા વ્યાજ મળશે. જે પહેલા 5.75 ટકા હતું. તેમજ વૃદ્ધ નાગરિકોને તેના દ્વારા 0.50 ટકા વધારે એટલે 5.50 ટકા વ્યાજ મળશે. જે પહેલા 6.25 ટકા હતું.
તેમજ 46 દિવસથી 179 દિવસની એફડી પર એસબીઆઈના ગ્રાહકોને 5.75 ટકા વ્યાજ મળશે. જે પહેલા 6.25 ટકા હતું. વૃદ્ધ નાગરિકોને તેનાથી 0.50 ટકા એટલે કે 6.25 ટકા વ્યાજ મળશે. જે પહેલા 6.75 ટકા હતું.
180 દિવસથી 210 અને 211 દિવસથી એક વર્ષની એફડી પર એસબીઆઈના ગ્રાહકોને 6.25 ટકા વ્યાજ મળશે. તેમજ વૃદ્ધ નાહરિકોને તેના દ્વારા 6.75 ટકા વ્યાજ મળશે.
તેમજ એક વર્ષથી બે વર્ષ સુધીની એફડી પર એસબીઆઈના ગ્રાહકોને 6.80 ટકા વ્યાજ મળશે. જે પહેલા સાત ટકા હતું. વૃદ્ધ નાગરિકોને તેના દ્વારા 0.50 ટકા વધારે એટલે કે 7.30 ટકા વ્યાજ મળશે જે પહેલા7.50 ટકા હતું.
બે વર્ષથી ત્રણ વર્ષની એફડી પર ગ્રાહકોને 6.70 ટકા વ્યાજ મળશે જે પહેલા 6.75 ટકા હતું. વૃદ્ધ નાગરિકોને તેના દ્વારા 7.20 ટકા વ્યાજ મળશે જે પહેલા 7.25 ટકા હતું.
ત્રણ વર્ષથી પાંચની એફડી પર ગ્રાહકોને 6.60 ટકા વ્યાજ મળશે જે પહેલા6.70 ટકા હતું. વૃદ્ધ નાગરિકોને તેના દ્વારા 7.10 ટકા વ્યાજ મળશે જે પહેલા 7.20 ટકા હતું.
પાંચ વર્ષથી 10 વર્ષની એફડી પર ગ્રાહકોને 6.50 ટકા વ્યાજ મળશે જે પહેલા 6.60 ટકા હતું. વૃદ્ધ નાગરિકોને તેના દ્વારા 7. ટકા વ્યાજ મળશે જે પહેલા 7.10 ટકા હતું.