Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dussehra 2024 - દશેરા ક્યારે છે, બે રાજયોગ રચાઈ રહ્યા છે

dusshera
, રવિવાર, 6 ઑક્ટોબર 2024 (14:45 IST)
Dussehra 2024-  દશેરાનો તહેવાર આ વર્ષે 12 ઓકટોબરે ઉજવાશે. આ વર્ષે દશેરાના તહેવાર પર બે શુભ યોગ પણ બની રહ્યા છે.  હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે .  આ વર્ષે દશેરા 12મી ઓક્ટોબરે છે અને દશેરાના દિવસે બે રાજયોગ રચાઈ રહ્યા છે,  
 
 
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર દેવી દુર્ગાથી મોહિત થઈ ગયો હતા અને દેવી દુર્ગા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. દેવી દુર્ગાએ લગ્ન માટે એક શરત મૂકી હતી કે જો તેઓ તેમને યુદ્ધમાં હરાવે તો લગ્ન માન્ય છે. દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચેનો યુદ્ધ 9 દિવસ સુધી ચાલુ રહ્યો. આ યુદ્ધમાં, 9 મા દિવસે, દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને વિજય મેળવ્યો હતો.

 
એવી માન્યતા છે કે રાવણનો વધ કરવાના થોડા દિવસ પહેલા
ભગવાન રામએ આદિ શક્તિ માં દુર્ગાની પૂજા કરી અને પછી તેમના આશીર્વાદ મળ્યા પછી દશમીએ રાવણનો વધ કર્યો. એવી પણ માન્યતા છે કે દશમીન અરોજ જ માં દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી તેને વિજયાદશમીના રૂપમાં પણ ઉજવાય છે.
 
દેશભરમાં  જુદા જુદા સ્થાન પર રાવણ દહન થાય છે અને દરેક સ્થાનની પરંપરઓ એકદમ જુદી છે. આ દિવસે શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે શમીના ઝાડની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે વાહન, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, સોનુ, ઘરેણા નવા વસ્ત્રો વગેરે ખરીદવા શુભ હોય છે. દશેરાના દિવસે નીલકંઠ ભગવાનના દર્શન કરવા અતિ શુભ માનવામાં આવે છે.
 
Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે