Publish Date: Thu, 22 Dec 2022 (08:32 IST)
Updated Date: Thu, 22 Dec 2022 (08:36 IST)
અન્ય દેશમાંથી આવનારા યાત્રિઓનો ઍરપોર્ટ પર રૅન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ચીનમાં વધતા કોરોના કેસને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આરોગ્ય મંત્રાલયે આ અંગેની જાણકારી આપી હતી.
ચીનમાં કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર કોરોનાના સબ વૅરિયન્ટ બીએફ.7ના ત્રણ કેસ ભારતમાં નોંધાઈ ચૂક્યા હોવાનું સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને એનડીટીવીએ જણાવ્યું હતું.
આ સાથે બીએફ.7 સબવૅરિયન્ટનો વડોદરામાં પણ એક પૉઝિટિવ કેસ નોંધાયો છે.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારપરિષદ સંબોધીને આ અંગે માહિતી આપી હતી.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, “કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસ વધતા વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. કોવિડ હજુ ખતમ થયો નથી. મેં બધા સંબંધિત પક્ષોને સતર્ક રહેવા અને ચુસ્ત નિરીક્ષણ રાખવાના નિર્દેશ આપ્યા છે. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ.”
ચીનમાં કોરોનાની ગંભીર લહેર આવી છે અને તેના કારણે ભારતમાં પણ ચિંતા વધી ગઈ છે.
ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.