Publish Date: Fri, 05 Jul 2019 (17:36 IST)
Updated Date: Fri, 05 Jul 2019 (17:49 IST)
ગરૂડ પુરાણ વિશે બધા જાણતા હશે. આવું નહી છે કે ગરૂડ પુરાણમાં માત્ર ડરાવવા કે નરકની જ વાત છે. કોઈને ત્યાં મોત થઈ જાય છે ત્યારે ગરૂણ પુરાણ વંચાય છે પણ જો તમે એક વાર ગરૂણ પુરાણ વાંચી લેશો તો તમને ખૂબ લાભ થશે અને જીવન અને મોતથી સંકળાયેલી વાતની પણ તમને જાણકારી મળશે.
ગરૂણ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્યના સિવાય પણ ઘણું બધું છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ-નિયમ અને ધર્મની વાત છે. ગરૂણ પુરાણમાં એક તરફ જ્યાં મોતનો રાજ છે જે બીજી તરફ જીવનનો રાજ પણ છુપાયેલું છે.
ગરૂડ પુરાણની હજાર વાતમાંથી એક વાત આ પણ છે કે જો તમે અમીર ધનવાન કે સૌભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો જરૂરી છે એકે તમે સાફ-સુથરા, સુંદર અને સુગંધિત કપડા પહેરવું. ગરૂડ પુરાણ મુજબ તે લોકોના સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે જે ગંદા કપડા પહેરે છે.
જે ઘરમાં એવા લોકો હોય છે જે ગંદા કપડા પહેરે છે તે ઘરમાં ક્યારે પણ લક્ષ્મી નહી આવે છે. જેના કારણે તેમના ઘરથી સૌભાગ્ય પણ ચાલી જાય છે અને દરિદ્રતાનો નિવાસ થઈ જાય છે.
જોવાયું છે કે જે લોકો ધન અને બધી સુખ સુવિધાઓથી સંપન્ન છે, પણ સિવાય તે લોકો ગંદા કપડા પહેરે છે તેમનો ધન ધીમે-ધીમે નષ્ટ થઈ જાય છે. તેથી અમે સાફ અને સુગંધિત કપડા પહેરવા જોઈએ જેનાથી અમારા પર મહાલક્ષ્મીની કૃપા બની રહે.