Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છરીની અણીએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી ધમકી

છરીની અણીએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી ધમકી
, શનિવાર, 5 ઑક્ટોબર 2019 (10:27 IST)
જેતપુરમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સંદિપ ભરવાડ નામના શખ્સે પરિણીતાના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
 
જેતપુર તાલુકાના દેરડીધારમાં રહેતી પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં વોરાકોટડા રોડ વિજયનગર મફતિયાપરામાં રહેતા સુગના અરવિંદભાઈ દેવીપુજક, ચેતના ડાભી અને સંદીપ ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે સુગના અને ચેતનાએ વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા 1,20,000 સોનાના બે જોડી બુટીયા તેમજ 5 ઓમકાર સાચવવા લીધા હતા જે પરત માંગતા મારી રોકડ અને દાગીના ન આપી છેતરપિંડી કરી હતી. તેમજ સંદિપ ભરવાડ નામના શખ્સે પરિણીતાના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આઈપીસી કલમ 376 342 406 420 114 506 114 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MSME સેકટરના વિકાસને વધુ પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે લીધો આ ઐતિહાસિક નિર્ણય