Publish Date: Wed, 27 Apr 2016 (11:27 IST)
Updated Date: Wed, 27 Apr 2016 (11:38 IST)
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચાલી રહેલ સિંહસ્થ મહાપર્વમાં મહિલા અખાડાને માન્યતા ન આપવાથી નારાજ પરી અખાડની પ્રમુખ ત્રિકાલ ભવંતા છેલ્લા 10 દિવસોથી આમરણ અનશન કર્યા પછી 10 ફીટ ખાડામાં બેસીને સમાધિ લેવા લાગી તો પોલીસે તેને બળપૂર્વક બહાર કાઢ્યો. પરી અખાડાની પ્રમુખ ત્રિકાલ ભવંતા પોતાની માંગોને લઈને છેલ્લા દસ દિવસોથી આમરણ અનશન કરી રહી હતી. તેમનુ સ્વાસ્થ્ય ખરાબ થતા તેમને જીલ્લા ચિકિત્સાલયના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબિયત ઠીક થતા તે ફરીથી પોતાની શિબિરમાં પહોંચી.
માંગ પુર્ણ ન થવાથી નારાજ થઈને તે 10 ફીટના ખાડામાં સમાધિ લેવા માટે બેસી ગઈ. સમાધિ લેવા દરમિયાન તેમના કૈમ્પના લોકોએ ફૂલોથી પુષ્પ વર્ષ પછી તેમના પર માટી નાખવા લાગ્યા. તેમનુ અડધુ શરીર માટી દબાયા પછી જીલ્લા દંડાધિકારી અવધેશ શર્મા સહિત પોલીસ બળ ઘટના સ્થળ પર પહોંચી અને બળપૂર્વક તેમણે સમાધિ લેવાથી રોક્યા.