Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amreli News - અમરેલીમાં મંડપ ખોલી રહેલા પાંચ મજૂરોના કરંટ લાગતા મોત

Amreli News -  અમરેલીમાં મંડપ ખોલી રહેલા પાંચ મજૂરોના કરંટ લાગતા મોત
, શનિવાર, 19 મે 2018 (12:15 IST)
અમરેલી જિલ્લાના વડિયાના ભાયાવદર ગામે બનેલી એક ભયાનક ઘટનામાં કરંટ લાગવાથી પાંચ મજૂરોના કમકમાટીભર્યા મોત થયા છે. આ મજૂરો મંડપ ખોલી રહ્યા હતા ત્યારે તેઓ જે સ્ટેન્ડ પર ચઢ્યા હતા તે નજીકમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનને અડકી જતાં પાંચેય મજૂરો ગણતરીની સેકંડોમાં જ મોતને ભેટ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાયાવદર ગામે મગનબાપાના આશ્રમ ખાતે ચાલી રહેલી શિવકથાની પૂર્ણાહુતી બાદ મંડપ ખોલવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જ આ ઘટના બની હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

૨૦૧૯માં ગાંધીનગર ખાતે ૧૮, ૧૯ અને ૨૦ જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટ યોજાશે