Publish Date: Thu, 12 Aug 2021 (13:42 IST)
Updated Date: Thu, 12 Aug 2021 (13:43 IST)
ગુજરાતના રાજકારણમાં આજ સુધી બે પક્ષ સિવાય ત્રીજો પક્ષ હજુ સુધી ફાવ્યો નથી. છેલ્લા થોડા મહિનાથી આમ આદમી પાર્ટીએ જોર-શોરથી કાર્યકર્તાનું રજીસ્ટ્રેશન અને પ્રચાર શરૂ કરી દીધો છે. હવે, મમતા બેનરજીને પણ ગુજરાતના પોલિટિક્સમાં રસ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર લગાવાયેલા પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. શહીદ દિનની ઉજવણીની સાથે મમતા બેનર્જી ગુજરાત પોલિટિક્સમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે.