Publish Date: Fri, 27 Jan 2023 (18:18 IST)
Updated Date: Fri, 27 Jan 2023 (18:17 IST)
પ્રજાસત્તાક પર્વે સૌરાષ્ટ્રવાસીઓને હવાઈ સેવાની મોટી ગિફ્ટ મળી છે. સૌથી વધારે જાણીતા બે સ્થળો વચ્ચે હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દિવ સોમનાથ દીવની હવાઈ યાત્રા શરૂ કરાઈ છે. દીવથી સોમનાથ હવે હેલિકોપ્ટર ઉડશે. જેમાં કલેકટર અને વિદ્યાર્થીઓએ પહેલી ઉડાન ભરી છે.
સોમનાથ-દિવ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ
પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે વધારે એક સુવિધા આપવામાં આવી છે. જેમાં દીવથી સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.