Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોંગ્રેસ આજથી 28 જાન્યુઆરી સુધી મહાજનસંપર્ક અભિયાન ચલાવશે

ગુજરાત કોંગ્રેસ આજથી 28 જાન્યુઆરી સુધી મહાજનસંપર્ક અભિયાન ચલાવશે
, સોમવાર, 18 જાન્યુઆરી 2021 (20:10 IST)
ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન જનતા અને વહિવટીતંત્ર વચ્ચે તાલમેલ નથી. વહિવટીતંત્ર વિરૂદ્ધ જનતામાં રોષ છે. આ દરમિયાન આ તમામ સમસ્યાઓના ધ્યાનમાં રાખી પ્રદેશ કોંગ્રેસ 18 થી 28 જાન્યુઆરી સુધી મહાજનસંપર્ક અભિયાન ચલાવશે. આ દરમિયાન કોંગ્રેસ રાજ્યમાં વિજળી, માર્ગ, પાણી, સિંચાઇ, ભષ્ટ્રાચાર, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પર ધ્યાન આકર્ષિત કરશે. આ મહાઅભિયાનમાં કોંગ્રેસ છ મહાનગરોના 145 વોર્ડોનો સંપર્ક કરશે. 
 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે આ કાર્યક્રમની જાહેરાત કરી. પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસએ તે પહેલાં 'હેલો કેમ્પેન' શરૂ કર્યું હતું. તેનાથી અમને જાણકારી મળી હતી કે ભાજપ શાસન અને જનતા વચ્ચે ખૂબ મોટી ગેપ છે. તેમની વચ્ચે આ પ્રકારના સંબંધના કારણે જનતામાં આક્રોષ છે. આ બાબતોને ધ્યાનમાં રાખી રાજ્યમાં કોંગ્રેસના 270 પ્રદેશ પદાધિકારી રાજ્યના 17 હજાર ગામની મુલાકાત લેશે. 
 
અમિત ચાવડાએ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસના નેતા છ મહાનગરોના 145 વોર્ડોમાં ઘરે-ઘરે જઇને લોકો સાથે વાતચીત કરી સ્વાસ્થ્ય, પાણી, શિક્ષણ સહિત સ્તરીય સેવાઓનો ઉલ્લેખ કરી તેમની ઉપલબ્ધતા જાણકારી આપશે. તેમણે કહ્યું કે આ દરમિયાન રાજ્યની 81 નગરપાલિકાઓ 684 બેઠકો પર પણ ચૂંટણી આયોજિત કરવામાં આઅશે. કોંગ્રેસના પદાધિકારી ગ્રામીણ વિસ્તારોના કૃષિ કાનૂન પાસે ખેડૂતોને અવગત કરાવશે. કોંગ્રેસ કિસાન બચાવો- દેશ બચાવો ચળવળ પણ ચલાવશે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના 17 હજાર ગામના ખેડૂતોનો સંપર્ક કરશે. 
 
તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં રાજ્યના મહાનગરોમાં પછીમાં ગ્રામીણ ક્ષેત્રોનો સંપર્ક કરવામાં આવશે. આ પ્રકાર કોંગ્રેસ રાજ્યની 1.25 કરોડ જનતાના સમક્ષ ભાજપના શાસન કરવાની અક્રમણ્યતાનો પર્દાફાશ કરશે. ગુજરાતના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે પાર્ટી સ્થાનિક સ્વરાજના ચૂંટણીમાં ટિકીટ આપવામાં ન આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નરેન્દ્ર મોદી નિમણૂંક, બેઠકમાં લેવાયો નિર્ણય