Publish Date: Tue, 04 Jan 2022 (15:57 IST)
Updated Date: Tue, 04 Jan 2022 (16:00 IST)
તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ (Corona Virus in IIT Madras)માં કોરોનાના 100 થી વધુ કેસ નોંધાયા બાદ હડકંપ મચી ગયો છે.
રાધાકૃષ્ણને કહ્યું કે લગભગ 104 લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે.
IIT કેમ્પસમાં લગભગ 774 વિદ્યાર્થીઓ છે અને સૌથી વધુ પોઝિટિવ કેસ કૃષ્ણા અને યમુના હોસ્ટેલમાંથી સામે આવ્યા છે.
સંક્રમણ ફેલાવા પાછળનું મુખ્ય કારણ ફક્ત એક જ છે કે બધા લોકો એક સાથે એકઠા થઈ જતા હતા, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ માસ્ક વિના અવર જવર કરે છે. તેના કારણે વાયરસ ફેલાયો હતો.