Publish Date: Sat, 27 Mar 2021 (13:05 IST)
Updated Date: Sat, 27 Mar 2021 (13:07 IST)
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં જોવા મળી રહ્યો છે. ત્યારે ત્યારે વધુ એક શૈક્ષણિક સંસ્થામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ગાંધીનગરમાં IITના 25 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. એક સાથે 25 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવતાં કેમ્પસમાં અવર-જવર પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.