Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ભારત જોડો'' યાત્રા પહેલાં ગુજરાત આવશે રાહુલ ગાંધી, કાર્યકર્તાઓને કરશે સંબોધિત

Rahul Gandhi
, ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (09:26 IST)
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને હવે કોંગ્રેસ ગુજરાતમાં સક્રિય બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને હજારો કોંગ્રેસી કાર્યકરો ભારતમાં લોકશાહી બચાવવા માટે 7 સપ્ટેમ્બરે ભારત જોડો રેલી શરૂ કરશે. આ સંદર્ભે અને ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાત પહોંચશે. રાહુલ ગાંધી ખાસ કરીને પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરશે જેમને ચૂંટણી માટે બૂથની જવાબદારી સોંપવામાં આવી છે.
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને આ વર્ષના અંતમાં યોજાનારી ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાતમાં આવશે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) એ મંગળવારે ટિકિટ ફાળવણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ગુજરાત માટે સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે. AICCના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, કેરળ કોંગ્રેસના ધારાસભ્ય અને કેરળના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રમેશ ચેન્નીથલાને ગુજરાત સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે એડવોકેટ શિવાજીરાવ મોઘે અને જય કિશનને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 
ગુજરાતના AICC પ્રભારી રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને AICCના ગુજરાતના પ્રભારી સચિવોને હોદ્દેદાર સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેણુગોપાલ સાથે અમદાવાદ પહોંચેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોતે જીપીસીસીના પદાધિકારીઓ અને કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. 
 
ગુજરાત કોંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ, ગેહલોતે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી જેથી કરીને ગુજરાત ચૂંટણીમાં વ્યાપક જીત મેળવવાના પક્ષના સંકલ્પને મજબૂત કરી શકાય. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં ન હોવા છતાં, કોંગ્રેસ સામાન્ય લોકોના પ્રશ્નોને હિંમતભેર ઉઠાવી રહી છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માટીના ગણેશજીની મૂર્તિની બોલબાલા: જાણો ઇકો ફ્રેન્ડલી મૂર્તિના ફાયદા