Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના આદેશ

શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના આદેશ
, શુક્રવાર, 27 નવેમ્બર 2020 (12:48 IST)
ગત મંગળવાર બુધવારે ગાંધીનગર જિલ્લા પંચાયતે એકપણ દર્દીનું મોત ન થયું હોવાની જાહેરાત કરી હતી પરંતુ બીજી ત્રફ કોરોનાથી મૃત્યું પામેલા 4 દર્દીઓના મૃતદેહોને ગાંધીનગરના સેક્ટર-30ના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવતાં રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે મેયરે જણાવ્યું હતું કે પરિવારની મંજૂરી બાદ આ પ્રકારે મૃતદેહને લઇ જવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે આ પ્રકારની કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી. જેને લઇને નાયબ મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. 
 
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી  વ્યક્તિઓના ચાર મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાના જે અહેવાલો વાયરલ થયા છે તેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખૂબ જ ગંભીરતાથી લઈને તપાસના આદેશો આપ્યા છે. એટલું જ નહીં, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તેમાં જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો મેળવવાના આદેશો કર્યા છે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગરની આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને આવું અમાનવીય કૃત્ય કરનારા વ્યક્તિઓ સામે પગલાં લેવાની અને આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓના ખુલાસા માંગવાની  સુચના આપી છે. 
 
નીતિન પટેલે એવી પણ સૂચના આપી છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની અત્યંત સંવેદનાપૂર્વક સારામાં સારી રીતે સારવાર થાય. માનવીય અભિગમથી જ આ આખીયે બાબતની કાળજી લેવાય એ અંગે તકેદારી રાખવા કડક સૂચનાઓ આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન અદાણી વિરૂદ્ધ બેનર બતાવ્યા