Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

મણિપુરમાં ફરી હિંસા ભડકી, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર હુમલો, ઈન્ટરનેટ બંધ, કર્ફ્યુ

મણિપુરમાં ફરી હિંસા ભડકી
, રવિવાર, 17 નવેમ્બર 2024 (09:16 IST)
Manipur Violence case : મણિપુરમાં ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ એક નદી પાસે મળ્યાના એક દિવસ પછી, શનિવારે વિરોધીઓએ ત્રણ રાજ્ય મંત્રીઓ અને છ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો, જેના પગલે સરકારે પાંચ જિલ્લામાં અનિશ્ચિત કર્ફ્યુ લાદ્યો. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
 
પોલીસે જણાવ્યું કે દેખાવકારોએ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના જમાઈ સહિત છમાંથી ત્રણ ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેમની મિલકતોને આગ લગાડવામાં આવી હતી, જ્યારે સુરક્ષા દળોએ ઈમ્ફાલના જુદા જુદા ભાગોમાં વિરોધીઓને વિખેરવા માટે ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, ઇમ્ફાલ પશ્ચિમ પોલીસ અધિક્ષક મેઘચંદ્રએ કહ્યું કે હિંસાને જોતા મણિપુરમાં કર્ફ્યુ અને ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maharashtra Polls - જો તમે મારો સાથ નહી આપો તો હુ સંન્યાસ લઈ લઈશ, મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરેની ભાવુક અપીલ