Publish Date: Sat, 16 Nov 2024 (16:08 IST)
Updated Date: Sat, 16 Nov 2024 (16:12 IST)
Earthquake News: ગુજરાતના મહેસાણા જીલ્લામાં શુક્રવારે રાત્રે 4.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપ વિજ્ઞાન અનુસંધાન સસ્થા (આઈએસઆર) એ આ માહિતી આપી. ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા, પરંતુ આ વિસ્તારમાં કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 10:15 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્ર પાટણથી 13 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. રાજસ્થાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મેહસાણામાં રહ્યુ ભૂકંપનુ કેન્દ્ર
નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના મુજબ ભૂકંપનુ કેન્દ્ર મહેસાણા ક્ષેત્રમા અક્ષાંશ 23.71 એન અને દેશાંતર 72.30 ઈ પર 10 કિમી ની ઊંડાઈ પર હતુ. આ સ્થાન ગુજરાતના રાજકોટથી લગભગ 219 કિમી ઉત્તરપૂર્વમાં હતુ. તેનુ કેન્દ્દ્ર પણ પાટણથી 13 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ સ્થિત હતુ. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના ઉત્તરી જીલ્લામાંથી મળતી માહિતી મુજબ ભૂકંપના ઝટકા બે થી ત્રણ સેકંડ સુધી અનુભવાયા. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ આંકડા મુજબ અમે તમને જણાવી દઈએ કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યએ છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપનો સામનો કર્યો છે, જેમાં કચ્છ જિલ્લામાં 26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપનો સમાવેશ થાય છે.