Publish Date: Thu, 21 Nov 2024 (08:05 IST)
Updated Date: Thu, 21 Nov 2024 (08:08 IST)
યુપી અલીગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક સાથે અથડાતા બસના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં એક પાંચ મહિનાનું બાળક, એક મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે.
રસ્તા પર પડેલા ઇજાગ્રસ્ત બાળકો અને મહિલાઓ
ટપ્પલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શિશુપાલ શર્માએ જણાવ્યું કે, આ દુર્ઘટના યમુના એક્સપ્રેસ વે પર ટપ્પલ પાસે રાત્રે લગભગ 1 વાગ્યે થઈ હતી. બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી, જ્યારે ટ્રક દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. આ દરમિયાન બસની સ્પીડ વધુ હોવાને કારણે તે કાબૂ બહાર નીકળી ગઈ હતી અને બીયરની ખાલી બોટલો ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ કંડક્ટરની બાજુથી સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.