Publish Date: Sun, 10 Nov 2024 (13:20 IST)
Updated Date: Sun, 10 Nov 2024 (13:33 IST)
Ambaji Accident news- અંબાજી: અંબાજી નજીક આવેલા ત્રિશુલીયા ઘાટ પર ફરી એક અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોની લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે.
કચ્છના અંજારની ટ્રાવેલ્સ બસ અંબાજીથી દર્શન કરી પરત ફરી ત્યારે બસની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત બ્રેક ફેલ થયેલી લકઝરી બસે અલ્ટો અને બોલેરો ગાડીને ટક્કર મારતાં બંને ગાડીઓ પલટી.
28 યાત્રિકો ઘાયલ
અંબાજી નજીક આવેલા અકસ્માત બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.