Publish Date: Sat, 14 Dec 2024 (18:05 IST)
Updated Date: Sat, 14 Dec 2024 (18:18 IST)
લોકસભામાં સંવિઘાન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસ સાંસદ અને નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સંવિઘાન પર પોતાની વાત મુકી. આ દરમિયાન તેમણે અદાણી, અગ્નિવીર, લેટરલ એંટ્રીને લઈને મોદી સરકાર પર હુમલો બોલ્યો. સાંજે 5 વાગીને 45 મિનિટ પર પીએમ મોદીનુ પણ સંબોધન રહેશે. પીએમ મોદી આજે સંવિઘાન પર ચર્ચાનો જવાબ આપશે. ગઈકાલે રાજનાથ સિંહે લોકસભામાં સંવિઘાન પર ચર્ચાની શરૂઆત કરી હતી. વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ તેનો જવાબ આપ્યો. બીજા દિવસની શરૂઆત સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ કરી. જાણો આ સાથે જોડાયેલ LIVE અપડેટ્સ...
- લોકસભામાં પીએમ મોદીનુ સંબોધન