Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા - પુત્ર અને ભત્રીજાનાં મોત

વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા - પુત્ર અને ભત્રીજાનાં મોત
, સોમવાર, 22 નવેમ્બર 2021 (08:37 IST)
એક જ પરિવારનાં 3 સભ્યનાં મોત : વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા - પુત્ર અને ભત્રીજાનાં મોત , પરિવારમાં માતમ સ્થાનિક તરવૈયાઓએ માતા - પુત્રના મૃતદેહો બહાર કાઢ્યા , ફાયર બ્રિગેડે ભત્રીજાનો મૃતદેહ બહાર કાઢ્યો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે . માતા - પુત્ર અને ભત્રીજાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે અને કરખડી ગામમાં સન્નાટો ફેલાઇ ગયો છે . વડુ પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે . કરખડીના વ્યાસ પરિવારમાં માતમ પાદરા તાલુકાના કરખડી ગામના જ્યોતિબેન વ્યાસ , તેમનન પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસ આજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા . જ્યાં તેઓ અચાનક જ ડૂબવા લાગ્યા હતા . ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા અને જ્યોતિબેન વ્યાસ અને અભય વ્યાસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો . જ્યારે મિતેશ વ્યાસની ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી હતી . ભારે જહેમત બાદ પોલીસે તેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો . આ સમયે વ્યાસ પરિવાર આક્રંદ કરતો જોવા મળ્યો હતો .

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Patna News: માતાએ બે બાળકોને કૂવામાં ફેંક્યા, પછી પોતે પણ કૂદી પડ્યા, ત્રણેયના મોત, CCTVમાં કેદઘટનાનો વીડિયો