Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંધશ્રદ્ધામાં ખેલાયો મોતનો ખેલ- ત્રણ સંતાનોની માતાને સાંકળ-ધોકાથી માર મારી ક્રૂર હત્યા કરી

અંધશ્રદ્ધામાં ખેલાયો મોતનો ખેલ- ત્રણ સંતાનોની માતાને સાંકળ-ધોકાથી માર મારી ક્રૂર હત્યા કરી
, ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (14:54 IST)
દ્વારકા જીલ્લાના ઓખામઢી ગામે મેલી વિદ્યાના ચક્કરમાં એક યુવતીને સાંકળ અને ધોકા વડે  માર માર્યો અને ડામ પણ દીધામૃતકનાં પરિવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખૂલતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી પ્રસરાવનારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર, દ્વારકાના ઓખામઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં.વ. 25) નામની પરિણીતાને 'મેલું કાઢવા' માટે તેનાં પરિવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ધોકા વડે માર મારી શરીરે ડામ દેતાં ગંભીર ઇજાઓ થતાં રમીલાબેને દમ તોડયો હતો, 
 
બીજી બાજુ, મેલી વિદ્યાના ચક્કરમાં એક પરિણીતાની અમાનુષી હત્યાના બનાવને પગલે દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકનો પરિવાર, ભૂવાઓની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દશેરાના દિને મુખ્યમંત્રી સુરત શહેર-જિલ્લામાં કરોડોના વિકાસકામોની ભેટ ધરશે