Publish Date: Tue, 06 Jan 2026 (10:35 IST)
Updated Date: Tue, 06 Jan 2026 (10:52 IST)
દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં દિલ્હી મેટ્રો સ્ટાફ ક્વાર્ટરમાં ભીષણ આગ લાગી ગઈ છે. આ ઘટનામાં એક પતિ-પત્ની અને માસૂમ બાળકીનુ દર્દનાક મોત થઈ ગયુ છે. ત્રણેયના મૃત શરીર બળેલી હાલતમાં જપ્ત થયા છે. પોલીસ મામલાની તપાસમાં લાગી છે.
શું છે આખો મામલો?
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને DMRC ક્વાર્ટરમાં ઘરવખરીના સામાનમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો, ત્યારબાદ છ વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ પાંચમા માળે લાગી હતી. જ્યારે ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે તેમને ત્રણ લોકોના મૃતદેહ બળીને ખાખ થયેલા જોવા મળ્યા.
મૃતકોની ઓળખ 42 વર્ષીય અજય, 38 વર્ષીય નીલમ અને 10 વર્ષીય જાન્હવી તરીકે થઈ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ ઘટના દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં બની હતી. DMRC ક્વાર્ટર્સ મજલિસ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે આવેલા છે. આ ઘટનામાં એક પતિ, પત્ની અને એક બાળકનું બળીને ખાખ થઈ જવાથી મૃત્યુ થયું હતું.
ડિસેમ્બર 2025માં આગમાં એક પતિ અને પત્નીનું પણ મોત થયુ.
ડિસેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં, દિલ્હીના ટિકરી કલાનમાં એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ૩૧ વર્ષીય પુરુષ અને તેની પત્નીનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ વિનીત અને તેની પત્ની રેણુ તરીકે થઈ હતી. મળતી માહિતી મુજબ, તેઓ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી હતા. તેમને 10 અને 8 વર્ષના બે પુત્રો છે. પતિ-પત્ની સાથે દુકાન ચલાવતા હતા.
એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે દુકાનમાં આગ લાગી ત્યારે પતિ-પત્ની બહાર નીકળી શક્યા ન હતા અને અંદર ફસાઈ ગયા હતા. ગૂંગળામણથી તેમનું મોત થયુ.