Publish Date: Mon, 05 Apr 2021 (20:00 IST)
Updated Date: Mon, 05 Apr 2021 (20:04 IST)
બાંગ્લાદેશે સોમવારે કોરાના વાયરસના ચેપના કેસમાં ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને દેશભરમાં સાત દિવસીય લોકડાઉન લગાવી દીધું છે. બંધના વિરોધમાં નાના વેપારીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે જાહેર પરિવહન પર પ્રતિબંધ અને ખુલ્લા બજારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઢાકા ટ્રિબ્યુન અખબારના સમાચાર અનુસાર, રવિવારે જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આ સૂચનાઓ 5 એપ્રિલના સવારે 6 વાગ્યાથી 11 એપ્રિલની મધ્યરાત્રિ સુધી લાગુ રહેશે. જણાવાયું હતું કે લોકોને સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી પોતાનું ઘર ન છોડવાનું કહેવામાં આવ્યું છે.