Publish Date: Mon, 05 Aug 2019 (16:47 IST)
Updated Date: Tue, 06 Aug 2019 (11:29 IST)
કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો, જેને નાબૂદ કરવાની અમિત શાહે જાહેરાત કરી હતી.
જમ્મુ-કાશ્મીરને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તેમાંથી લદાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીરને એકસાથે રાખવામાં આવ્યાં છે.
આર્ટિકલ 370 નાબૂદ થતાં હવે અન્ય રાજ્યોમાં વસતા નાગરિકો પણ હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે.
તે પહેલા આર્ટિકલ 370 હોવાના કારણે અને કશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હોવાના કારણે કશ્મીરમાં રહેતા સિવાય અન્ય ભારતીયો ત્યાં જમીન ખરીદી શકતા ન હતા.
અગાઉ કાશ્મીરમાં જન્મ ન થયો હોય તેવા નાગરિકોને કાશ્મીરમાં જમીન કે સ્થાવર સંપત્તિ ખરીદવાના અધિકાર ન હતા.
આટલું જ નહી, કશમીરની દીકરી જો ભારતના બીજા રાજ્યમાં રહેતા જોઈ માણસની સાથે પરણે તો તેમની કશ્મીરી નાગરિકતા પોતે જ છીનવાઈ જતા હતા. તેથી પિતાની સંપત્તિમાં પણ તેમનો અધિકાર સમાપ્ત થઈ હતું હતું. તેનો સૌથી મોટું ઉદાહરણ ફારૂક અબ્દુલ્લાની દીકરી અને ઉમર અબ્દુલ્લાની બેન સારા અબ્દુલ્લા છે. જેમનો લગ્ન કાંગ્રેસના મહાન નેતા સચિન પાયલટથી થયું હતું. આ લગ્ન પછી તેમનો સંપત્તિનો અધિકાર સમાપ્ત થઈ ગયું.
આ સિવાય શહેરી જમીન (ટોચમર્યાદા તથા નિયંત્રણ) ધારો, 1976 પણ લાગુ પડશે, કોઈ વ્યક્તિ મહત્તમ કેટલી જમીન ધરાવી શકે તે અંગે નિયંત્રણ લાગુ પડશે.