Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લખનૌમાં દિવાલ ધરાશાયી થતા 9ના મોત:

crime scene
, શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (11:41 IST)
ઝાંસીના કામદારોએ દિવાલ પર ઝૂંપડી બનાવી હતી, 
મુખ્યમંત્રી હોસ્પિટલ જવાના હતા; 
પાણી ભરાવાને કારણે પ્રવાસ રદ થયો
 
લખનૌમાં ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે 3 વાગ્યે એક મોટી દુર્ઘટના બની હતી. અહીંની દિલકુશા કોલોનીમાં દિવાલ ધરાશાયી થવાથી 9 લોકોના કચડાઈને મોત થયા છે. બે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમ સૂર્યપાલ ગંગવારે જણાવ્યું કે તમામ મૃતકો અને ઘાયલો ઝાંસી જિલ્લાના પચવાડાના રહેવાસી છે. સીએમ યોગી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચવાના હતા, પરંતુ કાલિદાસ ચારરસ્તા પાસે પાર્ક રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
 
આ તમામ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આર્મી કેમ્પસની જૂની દિવાલની બાજુમાં ઝૂંપડામાં રહેતા હતા અને નવી બાઉન્ડ્રી વોલના બાંધકામમાં રોકાયેલા હતા. ડીએમએ જણાવ્યું કે બાઉન્દ્રીવાલ પાસે એક ઝૂંપડીમાં લોકો સૂતા હતા. મોડી રાત્રે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ઘાયલોની હાલત ખતરાની બહાર છે. સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર આનંદ ઓઝાનું કહેવું છે કે સવારે 7 વાગ્યે 9 લોકોને લાવવામાં આવ્યા હતા, તમામ લોકોના મોત થયા હતા. આ સિવાય બે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના મેમનગર BRTS બસમાં આગ લાગતા બસ બળીને ખાખ