Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Engineer's Day 2023: 15 સ્પ્ટેમ્બરના રોજ કેમ ઉજવાય છે એંજિનિયર દિવસ ? જાણો ઈતિહાસ અને રોચક વાતો

Engineer's Day 2021
, ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (11:20 IST)
Engineer's Day 2021:  મહાન  ભારતીય એન્જિનિયર 'ભારતરત્ન' મોક્ષગુંડમ વિશ્વેશ્વર્યાની સ્મૃતિના રૂપમાં ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવે છે. 'ભારતરત્ન' થી સન્માનિત  સર મોક્ષગુંડમ વિશ્વેશ્વર્યાના જન્મદિનની ઉજવણી માટે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર ડે ઉજવવામાં આવે છે. વિશ્વેશ્વર્યા ભારતના એક મહાન એન્જિનિયર, જાણીતા વિદ્વાન અને કુશળ રાજકારણી હતા. વર્ષ 1968માં એન્જિનિયર ડેની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી આ દિવસને ભારતીય શિક્ષણમાં ખૂબ મહત્વનો દિવસ માનવામાં આવે છે.
 
શુ છે તેનો ઈતિહાસ ?
 
એમ.વિશ્વેશ્વર્યા ભારતીય શિક્ષણ ક્ષેત્રે 'સર એમવી' તરીકે પણ લોકપ્રિય છે. એન્જિનિયરિંગ અને સમાજ વિકાસના ક્ષેત્રમાં તેમના અતુલ્ય  યોગદાનને ધ્યાનમાં રાખીને, તેમનો જન્મદિવસ એન્જિનિયર ડે તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેમના ઉત્કૃષ્ટ યોગદાનની સાથે સાથે તેમના અસાધારણ કાર્યો અને સિદ્ધિઓથી ભાવિ પેઢીઓને પ્રેરિત કરવા અને પરિચિત કરાવવા માટે, તેમની જન્મજયંતિને 1968 થી ભારતમાં એન્જિનિયર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
કેમ કહેવાય છે તેમને ધ ફાધર ઓફ મોર્ડન મૈસૂર સ્ટેટ 
 
5 સપ્ટેમ્બર 1860 ના રોજ વિશ્વેશ્વર્યાનો જન્મ કોલાર, મૈસુર (કર્ણાટક) માં થયો હતો. કુશળ ઇજનેર તરીકે, તેમણે દેશમાં ઘણા ડેમ બનાવ્યા. જેમાં કૃષ્ણરાજા સાગર ડેમ (મૈસુર), ખડકવાસલા જળાશય ડેમ (પુણે) અને તિગરા ડેમ  (ગ્વાલિયર) મુખ્ય છે. આ ઉપરાંત હૈદરાબાદ શહેરને સ્થાપિત કરવાનો શ્રેય પણ તેમને જાય છે. તેમણે આવી પૂર સંરક્ષણ પ્રણાલી તૈયાર કરી હતી, જેના કારણે તેઓ સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યા હતા. તેમણે વિશાખાપટ્ટનમ બંદરને દરિયાઈ ધોવાણથી બચાવવા માટે અત્યંત વિકસિત સિસ્ટમની શોધ પણ કરી હતી. તેમણે મૈસુર સરકારના સહયોગથી ઘણી ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી.
 
તેમાં મૈસુર સોપ ફેક્ટરી, મૈસુર આયર્ન એન્ડ સ્ટીલ ફેક્ટરી, સ્ટેટ બેંક ઓફ મૈસુર, મૈસુર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વિશ્વેશ્વરાય કોલેજ ઓફ એન્જિનિયરિંગ વગેરે અગ્રણી હતા. આ બધા યોગદાનને ધ્યાનમાં રાખીને, તેમને 'ધ ફાધર ઓફ મોર્ડન મૈસૂર સ્ટેટ' કહેવામાં આવે છે. વર્ષ 1915 માં, તેમને કિંગ જ્યોર્જ પાંચમા દ્વારા સ્વતંત્રતા પછી 'નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર'ની ઉપાધિ આપવામાં આવી હતી. ભારત સરકારે તેમને 1955 માં દેશના સર્વોચ્ચ ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. વિશ્વેશ્વર્યાએ 12 એપ્રિલ 1962 ના રોજ બેંગ્લોરમાં અંતિમ શ્વાસ લીધા.

Edited By- Monica sahu 
 
એન્જિનિયરિંગ વિશે રસપ્રદ તથ્યો
 
* ભારતમાં દર વર્ષે આશરે 1.5 મિલિયન (15 લાખ) એંજિનિયરોનુ ઉત્પાદન થાય છે. આ આઇસલેન્ડની દર વર્ષેની કુલ વસ્તી કરતાં બમણી કરતા વધુ  ઇજનેરોની સંખ્યા છે.
* સિલિકોન વેલીમાં લગભગ 16 ટકા સ્ટાર્ટઅપ્સમાં એક  ભારતીય સહ-સંસ્થાપક છે.
* ભારતમાં લગભગ 10,396 AICTE સંલગ્ન એન્જિનિયરિંગ સંસ્થાઓ છે. મહારાષ્ટ્ર 1564 સંસ્થાઓ સાથે પ્રથમ ક્રમે છે, તમિલનાડુ 1339 સંસ્થાઓ સાથે બીજા ક્રમે છે અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એકમાત્ર ઇજનેરી સંસ્થા છે.
*  બ્રિટીશ સામ્રાજ્ય દ્વારા 1794 માં સ્થાપવામાં આવેલી ચેન્નઈમાં એન્જિનિયરિંગ કોલેજ, ગિંડી ભારતની સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજ છે.
 
આ દેશોમાં પણ  ઉજવવામાં આવે છે એન્જિનિયર્સ ડે 
 
જ્યાં ભારતમાં 15 સપ્ટેમ્બર, અર્જેન્ટિનામાં 16 જૂન, ઇટાલીમાં 15 જૂન, બેલ્જિયમમાં 20 માર્ચ, ઈરાનમાં 24 ફેબ્રુઆરી, રોમાનિયામાં 14 સપ્ટેમ્બર, મેક્સિકોમાં 1 જુલાઈ અને બાંગ્લાદેશમાં 7 મેના રોજ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. આ દેશ તેમના સ્થાનિક ઇતિહાસ અને તેના મહત્વ અનુસાર એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરના ઇજનેરોને પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી તેઓ તેમની ક્ષમતાથી દેશ અને વિશ્વને વિકાસના વળાંક પર લાવી શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ AAPના નેતા શાકિર શેખનું પાર્ટીમાંથી રાજીનામું, કલ્પેશ પટેલને ટિકીટ આપવા પર સવાલ ઉઠાવ્યા