Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવિંગથી કરો આ બીમારીઓનો ઉપાય, જાણો આ 8 ઉપાય

લવિંગથી કરો આ બીમારીઓનો ઉપાય, જાણો આ 8 ઉપાય
, સોમવાર, 11 ડિસેમ્બર 2017 (15:08 IST)
ભારતના રસોડામાં વપરાતા અનેક મસાલાઓમાં આરોગ્ય સંબંધી અનેક રહસ્યો છિપાયા છે. ઈલાયચી, જીરુ, ધાણા અને લવિંગ ખાવાથી આરોગ્ય સંબંધી અનેક પરેશાનીઓમાંથી રાહત મેળવી શકાય છે. આજે અમે તમને લવિંગના ફાયદા વિશે બતાવી રહ્યા છીએ. જે શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓ માટે રામબાણ છે. 
 
1. લવિંગનુ સેવન કરવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે. 
2. પેટ સાથે જોડાયેલ પરેશાનીઓ અને ભૂખ ન લાગવાથી પરેશાન છો તો લવિંગનુ સેવન જરૂર કરો. 
3. મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ ચાવવાથી ફાયદો થાય છે. 
4. શરદી અને તાવ આવતા 1 ગ્લાસ પાણીમાં 1-2 લવિંગ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. 
5. ગળાનો સોજો અને ગરદન પર દુખાવો થતા લવિંગના તેલનો ઉપયોગ કરો. તેનાથી આરામ મળશે. 
6. લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે. 
7. દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનથી દાંતનો દુખાવો દૂર થઈ જશે. 
8. પેટમાં ગેસની તકલીફથી પરેશાન છો તો એ માટે એક કપ ઉકળતા પાણીમાં 2 લવિંગ નાખી દો. હવે એ ઠંડુ થઈ જાય તો પી લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગળામાં કાણું પાડયા વિના દર્દીની પેઇનલેસ સારવાર થઇ શકશે