Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

USમાં ઘૂસણખોરી કરતા 4 ગુજરાતીઓના મોત

nitin patel
, રવિવાર, 2 એપ્રિલ 2023 (11:12 IST)
તાજેતરમાં કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક પાટીદાર પરિવારના ચાર સભ્યો અમેરિકામાં ઘૂસણખોરી કરતી વખતે ઠંડીથી મૃત્યુ પામ્યા હતા. હવે આ મામલે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ગુજરાતમાં હવે કોઈ તક બાકી નથી. આ સાથે જ તેમના નિવેદન સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજગારીની તકોની વાત કરીએ તો સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે.
 
ગણતંત્ર દિવસના અવસરે બોલતા હર્ષ સંઘવીએ કહ્યું, 'હું તે તમામ લોકોને ચેતવણી આપવા માંગુ છું જેઓ રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં રોજગાર અને કમાણી માટેની ઘણી તકો છે. આગામી દિવસોમાં પોતાના ફાયદા માટે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારા એજન્ટો સામે અમે મોટું ઓપરેશન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. વિદેશોમાં પ્રગતિના સપનાં બતાવીને તેઓને મોતને ઘાટ ઉતારે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ઑલરાઉન્ડર સલીમ દુરાનીનું નિધન