Publish Date: Sun, 31 Dec 2017 (13:39 IST)
Updated Date: Sat, 30 Dec 2017 (12:36 IST)
કોઈ લગ્ન કે તહેવારમાં સ્ત્રીઓને મહેંદી લગાવવાની રસમ જરૂર અદા કરે છે. મેહંદી જ્યા હાથની સુંદરતા વધારે દે છે. બીજી બાજુ તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. જી હા મેહંદી લગાવવાથી અનેક બીમારીઓ છુમંતર થઈ જાય છે. આવો જાણીએ કેવી રીતે...
માઈગ્રેનની સમસ્યા આજકાલ સામાન્ય થતી જઈ રહી છે. દરેક કોઈ માથાના દુખાવા જેવી સમસ્યાથી પરેશાન છે. જો તમે પણ માઈગ્રેનના દુખાવાનો સામનો કરી રહ્યા છો તો રાત્રે સૂતા પહેલા 200 ગ્રામ પાણીમાં સો ગ્રામ મહેંદીના પાનને કાપીને પલાળી લો.. પછી સવારે ઉઠતા જ આ પાણીને ગાળીને પીવો.
ચામડીનો રોગ - મહેંદી ચામડીના રોગ માટે પણ લાભકારી છે. જો તમને પણ કોઈ ચામડીનો રોગ છે તો મહેંદીના ઝાડની છાલને વાટીને કાઢ બનાવી લો. પછી તેનુ સેવન લગભગ 1 મહિના સુધી કરો. આ પ્રકિયાનો ઉપયોગ કરતા સમયે સાબુથી પરેજ રાખો.
કિડનીનો રોગ - બદલતા લાઈફસ્ટાઈલમાં કોઈને કોઈ વ્યક્તિને કિડની સાથે જોડાયેલ પ્રોબ્લેમ ઘેરાય રહેલા છે. જો તમે પણ કિડનીના રોગથી પરેશાન છો તો અડધો લીટર પાણીમાં પચાસ ગ્રામ મહેંદીના પાન વાટીને નાખી દો. પછી આ પાણીને ઉકાળી લો અને ગાળીને પીવો.
હાઈ બીપી - લોહીની ઊંચુ દબાણ મતલબ હાઈ બીપી. આ સમસ્યા નાના અને મોટા બંનેને પરેશન કરે છે. આ સમસ્યામાં મહેંદી એક વરદાન છે. મહેંદીના પાનને વાટીને પોતાના પગને તળિયા અને હાથ પર લગાવો. તેનાથી ઘણો આરામ મળશે.