Publish Date: Fri, 11 Oct 2019 (18:25 IST)
Updated Date: Fri, 11 Oct 2019 (18:00 IST)
ખુશીઓનો તહેવાર દિવાળી આવી રહ્યો છે. આ તહેવારમાં માં લક્ષ્મીનુ સ્વાગત કરવાથી સમગ્ર વર્ષ માં નો આશીર્વાદ બન્યો રહે છે. માં લક્ષ્મીના સ્વાગત માટે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરે છે અને સુંદરતા પૂર્વક સજાવે છે. સુખ સમૃદ્ધિના આ તહેવાર પર કેટલીક સહેલા વાસ્તુ ઉપાયો અપનાવીને તમે તમારા પરિવારમાં ખુશીઓ લાવો.
ઘરમાં સકારાત્મક ઉર્જા માટે સેંઘા લૂણ નાખીલા પાણીથી ઘરમાં પોતુ લગાવો. મા લક્ષ્મીનો વાસ સ્વચ્છ સ્થાન પર જ થાય છે. ઘરમાં સફાઈનુ વિશેષ ધ્યાન રાખો. તૂટ્યુ ફુટ્યુ ફર્નીચર અને જૂના કબાડના સમાનને ઘરમાંથી બહાર કરી દો.
-ઘરના મુખ્ય દ્વારને સુંદર ઢંગથી સજાવો. મુખ્ય દ્વારને તોરણથી સજાવો. મેન ગેટ પર મા લક્ષ્મીના પદચિન્હ, સ્વસ્તિક શુભ લાભ જરૂર બનાવો. ઘરના મુખ્ય દ્વાર પર સુંદર રંગોળી બનાવો.
- દિવાળી પર દિવા પ્રગટાવતી વખતે તેમની સંખ્યા પર ધ્યાન આપવુ જરૂઓરી છે. દિવા હંમેશા ચારના ગુણકમાં જ લગાવો.
- ધનતેરસ અને દિવાળીના દિવસે મીઠાના પેકેટ ખરીદીને ઘરે લાવો અને તેને રસોઈ બનાવવામાં ઉપયોગ કરો. દિવાળીના દિવસે મીઠાના પાણીનુ પોતુ લગાવવાથી ગરીબી દૂર થાય છે.