Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં મળનારા કોરોના વાયરસના વેરિએંટને WHO એ બતાવ્યા ટેંશન વધારનારા

ભારતમાં મળનારા કોરોના વાયરસના વેરિએંટને WHO એ બતાવ્યા ટેંશન વધારનારા
, સોમવાર, 10 મે 2021 (22:43 IST)
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે રોજ મોટી સંખ્યામાં મામલા સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમા કહેવામાં આવ્યુ છે કે આ લહેરમાં કોરોનાનો ભારતમાં મળેલો વેરિએંટ પણ ખૂબ સંક્રમણ ફેલાવી રહ્યો છે. કોરોનાના આ વેરિએંટ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચિંતા બતાવી છે.   ડબલ્યુએચઓએ કહ્યુ છે કે આ વેરિએંટ ચિંતિત કરવાનુ છે. 

 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચીફ સાયંટિસ્ટ પણ આ વેરિએંટ પર ચિંતા બતાવી ચુકી છે. ડબલ્યુએચઓની ચીફ સાયંટિસ્ટ સોમ્યા સ્વામીનાથને કહ્યુ હતુ કે ભારતમાં ફેલાય રહેલ કોવિડ-19 વેરિએંટ  ખૂબ સંક્રામક છે અને આ વેક્સીનને પણ બેઅસર કરી શકે છે. એએફપીની સાથે ઈંટરવ્યુમાં સૌમ્યા સ્વામીનાથને ચેતાવણી આપી કે મહામારીની આ ફીચર જે આજે અમે ભારતમાં જોઈ રહ્યા છે, તે સંકેત આપી રહ્યો છે કે આ એક ઝડપથી ફેલનારો વેરિએંટ છે. તેમણે કહ્યુ કે ભારતમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં વેરિએંટ B.1.617 ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. 
 
સૌમ્યા સ્વામીનાથને કહ્યુ હતુ કે B 1.617 એક ચિંતિત કરનારો વેરિએંટ છે, કારણ કે આ મ્યૂટેટ કરે છે. જેનાથી ટ્રાંસમિશન પણ વધે છે. સાથે જ આ વૈક્સીન દ્વારા કે પછી સંકમણ શરીરમાં બનેલ એંટીબૉડીઝને પણ બેઅસર કરી શકે છે. જો કે તેણે એ પણ કહ્યુ કે ફક્ત આ વેરિએંટને ભારતમાં સંક્રમણને વધવા અને મોત થવા માટે દોષી ઠેરવી શકાતો નથી. 
 
 
#BREAKING World Health Organization (WHO) labels coronavirus strain in India 'variant of concern' pic.twitter.com/JaWTn9NW6B
 
— AFP News Agency (@AFP) May 10, 2021
 
ડબલ્યુએચઓના ઉપરાંત, બ્રિટન પણ ભારતમાં મળેલ કોરોનાના આ વેરિએંટને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે.  બ્રિટનના પબ્લિક હેલ્થ ઈગ્લેંડ ડિપાર્ટમેંટની વીતેલા શુક્રવારેને કહ્યુ હતુ કે આ અન્ય વેરિએંટ્સની તુલનામાં ઝડપથી તેજી ફેલાવનારુ સ્વરૂપ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન પણ અધિકારીઓ પાસેથી આ વિશે માહિતી લઈ ચુક્યા છે. 
 
સતત ચાર દિવસ કોરોનાના ચાર લાખથી વધુ નવા મામલા સામે આવ્યા પછી ભારતમાં સોમવારે એક દિવસમાં કોવિદ-19ના 3,66,161 મામલો સામે આવ્યો છે અને આ સાથે દેશમાં સંક્રમણના કુલ મામલા વધીને 2,26,62,575 થઈ ગયા. સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના ડેટા મુજબ  3,754 અને લોકોની સંક્રમણના કારણે મોત થયા પછી કુલ મૃતક સંખ્યા વધીને 2,46,116 થઈ ગઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોસ્પિટલની જરૂરિયાતો પૂર્ણઃ સુરતને દૈનિક ૧૬૦ મેટ્રિક ટન ઓકિસજન પુરવઠો ઉપલબ્ધ